August 31, 2026
Vartman Pravah
તંત્રી લેખદમણદીવદેશ

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

(ભાગ-2)

  • હાલમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત એમ્‍ફીથિએટરની જગ્‍યાએ પ્રવાસન વિભાગે દીવાદાંડીના સૌંદર્યકરણની આડમાં 1989-90માં લાખો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો

  • દમણના તે સમયના કલેક્‍ટર એમ.એસ.ખાનની બદલી થઈ હોવા છતાં તેમના હસ્‍તાક્ષર વાળા કોરા સેંક્‍શન ઓર્ડર ઉપર માત્ર કાગળ ઉપર લાખોની ખરીદી અને વિકાસ કામો કરાયા હતા

  • દમણની સરકારી કોલેજમાં સ્‍ટીલ એજ બ્રાન્‍ડની કંપનીના ફર્નિચરની જગ્‍યાએ બોગસ કંપનીના લાખો રૂપિયાના ફર્નિચર જરૂરિયાત નહીં હોવા છતાં ખરીદાયા હતા જેની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્ય દ્વારા કરવા છતાં ભીનું સંકેલાયું હતું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય સચિવ તરીકે શ્રી આર.પી.રાયની કરાયેલી નિયુક્‍તિની સાથે પ્રદેશ માટે સહાયક આઈ.જી.પી.ની પોસ્‍ટ પણ ફાળવવામાં આવી હતી. પ્રદેશના પહેલાં સહાયક આઈ.જી.પી. તરીકે શ્રી દિપક મિશ્રાની વરણી કરવામાં આવી હતી. દમણના કલેક્‍ટર પદેથી શ્રી એમ.એસ.ખાનને ખસેડી તેમની જગ્‍યાએ આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી નૂતન ગુહા બિશ્વાસનીનિયુક્‍તિ તે સમયના ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરી હતી.
હાલમાં જૂની દીવાદાંડી ખાતે બનાવવામાં આવેલ નયનરમ્‍ય એમ્‍ફીથિએટરની જગ્‍યાએ તે સમયે દમણ-દીવના પ્રવાસન વિભાગ દ્વારા સૌંદર્યકરણની આડમાં લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવ્‍યો હતો. તત્‍કાલિન કલેક્‍ટર એમ.એસ.ખાનની બદલી થઈ ચુકી હોવા છતાં તેમના હસ્‍તાક્ષર વાળા થોકબંધ કોરા સેંક્‍શન ઓર્ડર ઉપર તે સમયે ફક્‍ત કાગળ ઉપર લાખો રૂપિયાની ખરીદી અને વિકાસકામો પ્રવાસન વિભાગમાં થયા હતા.
દમણની સરકારી કોલેજમાં જરૂરિયાત નહીં હોવા છતાં પણ અને પ્રિન્‍સિપાલની જાણકારી બહાર સ્‍ટીલ એજ નામની કંપનીના લાખો રૂપિયાના ફર્નિચરની ખરીદી કરવામાં આવી હતી. દમણની સરકારી કોલેજના તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્યએ સ્‍ટીલ એજ કંપની પાસે ખરીદેલ ફર્નિચરોનું ક્‍વોટેશન મંગાવ્‍યું તો તેમાં ખુબ મોટું અંતર દેખાયું હતું. એટલું જ નહીં પરંતુ ફર્નિચરમાં પણ માત્ર સ્‍ટીલ એજ કંપનીનું સ્‍ટીકર જ ચોંટાડવામાં આવેલ હતું. તે સમયે તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્યએ આ કૌભાંડની બાબતમાં તત્‍કાલિન ગોવાના રાજ્‍યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક ડો. ગોપાલ સિંઘ તથા સંબંધિત જગ્‍યાએ ફરિયાદ કરવા છતાં પણ તેમની ફરિયાદને કાને નહીં ધરાઈ હતી અને પૈસાનું ચૂકવણું પણ કરાયુંહતું.
નાની દમણ અને મોટી દમણને જોડતા જૂના પુલ ઉપર કમાન લગાવી તેના ઉપર વિવિધ ફૂલોની કૂંડી મુકી બ્રિજનું સૌંદર્યકરણ કરવામાં આવ્‍યું હતું અને બ્રિજ ઉપર મોટું ભારણ ઉભું કર્યું હતું. આ વાત એટલા માટે યાદ આપીએ છીએ કે, જે તે સમયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચાલતા આચાર વિચારના કારણે ખાસ લોકોને જ્‍યાં પણ તક મળી ત્‍યાંથી ફાયદો ઉઠાવવાની ટેવ પડી હતી, તેવામાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મુખ્‍ય સચિવ તરીકે શ્રી આર.પી.રાયની વરણી કરવામાં આવી હતી અને સહાયક આઈ.જી.પી. તરીકે તે સમયના તેજતર્રાર આઈ.પી.એસ. પોલીસ અધિકારી શ્રી દિપક મિશ્રાએ અખત્‍યાર સંભાળ્‍યો હતો.
મુખ્‍ય સચિવ શ્રી આર.પી.રાયે વહીવટને સીધી લાઈન ઉપર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેના કારણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના વિકાસ કામો ખોરંભે જઈ રહ્યા હોવાની બૂમ મચી હતી. (ક્રમશઃ)

Related posts

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

vartmanpravah

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

Leave a Comment