Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : પરિવર્તનની પહેલ અંતર્ગત ટાટા સ્‍ટીલ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ‘ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામ-2023′ મહારાષ્‍ટ્રના પૂણે નજીક પંચગીની ખાતે યોજાયો હતો. જેમાં દેશના વિવિધ 20 જેટલા રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી પચાસ જેટલી આદિજાતિના 95 જેટલા યુવા ટ્રાઇબલ લીડરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના બાલદેવી ગામના શ્રી રીતેશકુમાર નાનજીભાઈ પટેલ અને ખાનવેલ ખુટલી ગામના કુમારી ભાગ્‍યશ્રી રમેશભાઈવાઢુની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, આદિવાસી સમાજના આ યુવા લીડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્‍ય રાજ્‍યોમાં આદિવાસીઓની પરિસ્‍થિતિ, તેમની રહેણીકરણી, સંસ્‍કળતિ, સભ્‍યતા, પહેરવેશ અને સાથે સમગ્ર દેશના આદિવાસીઓની એકબીજા સાથે ઓળખની આપલે થાય અને નવા યુવા લીડરોના નેતૃત્‍વની જાગૃતતાના હેતુથી ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન છેલ્લાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ સહિત ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, માંડવી વિસ્‍તારના આદિવાસી યુવા લીડરોએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને તેમણે તેમના નેતૃત્‍વનું કૌવત ઝળકાવ્‍યું હતું.

Related posts

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment