Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ નગરપાલિકા દ્વારા શાકભાજી બજાર અને મચ્‍છી બજારમાં બનેલી દુકાનો ડ્રો ગયા વર્ષે તારીખ 22 જાન્‍યુઆરીના રોજ થયેલી હતી. જેમાં નગરપાલિકા નિષ્‍ફળ નિવડી હતી, આ દુકાનો મળ્‍યા બાદ કોઈ કારણસર કોઈ પણ ધંધાદારીઓને દુકાન સફળતાપૂર્વક ધંધો ન થયો હતો, જેથી લગભગ દોઢ વર્ષ દરમિયાન દુકાનો ખાલી રહી હતી અને નગરપાલિકાને મોટું નુકસાન ભોગવવું પડ્‍યું હતું.
નગરપાલિકાના પરિસરમા શાકભાજી બજારની આઠ દુકાનો અને મચ્‍છી બજારની ચાર દુકાનોનો ડ્રો કરવામાં આવ્‍યો. જેનુ ભાડું રૂા.2,000 કરી દેવામાં આવ્‍યુ, અગાઉ હરાજીમાં 3000 ની આસપાસ ભાડું હતું, પરંતુ ત્‍યાં મળેલી દુકાનો નહિ ચાલવાના કારણે તથા નગરપાલિકાની તાનાશાહીને લઈને ફરી ડ્રો કરવાની ફરજ પડી હતી. આ વખતે આપવામાં આવેલ દુકાન એક વર્ષ માટે અપાઈ છે.
સાથે દીવમાં છૂટક ધંધો કરતા લારી ગલ્લા, રેકડીઓ તથા ફેરી કરતા અથવા નાના વેપારીઓ જે રોડ રસ્‍તા ઉપર વેપાર કરે છે તેના માટે ઉઘરાણી માટે હરાજી કરવામાં માટે બે વ્‍યક્‍તિઓએ નામ નોંધાવ્‍યા હતા. જેની હરાજીની શરૂઆત પાંચલાખ એક મહિનાના એમ વર્ષ દરમિયાન આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. હરાજીમાં બોલી પાંચ લાખ વીસ હજારની ઊંચ બોલી બોલાય હતી. જે ફકીર અમીન નસરુદ્દીન નામના વ્‍યક્‍તિએ સફળતાપૂર્વક ઉચ ભાવ આપી વર્ષ માટે પોતાની બોલી નોંધાવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં પુર અસરગ્રસ્‍ત પરિવારોને જિલ્લા ભાજપની ટીમે રાહત કીટનું વિતરણ કરાયું

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment