July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ નગરપાલિકા દ્વારા શાકભાજી બજાર અને મચ્‍છી બજારમાં બનેલી દુકાનો ડ્રો ગયા વર્ષે તારીખ 22 જાન્‍યુઆરીના રોજ થયેલી હતી. જેમાં નગરપાલિકા નિષ્‍ફળ નિવડી હતી, આ દુકાનો મળ્‍યા બાદ કોઈ કારણસર કોઈ પણ ધંધાદારીઓને દુકાન સફળતાપૂર્વક ધંધો ન થયો હતો, જેથી લગભગ દોઢ વર્ષ દરમિયાન દુકાનો ખાલી રહી હતી અને નગરપાલિકાને મોટું નુકસાન ભોગવવું પડ્‍યું હતું.
નગરપાલિકાના પરિસરમા શાકભાજી બજારની આઠ દુકાનો અને મચ્‍છી બજારની ચાર દુકાનોનો ડ્રો કરવામાં આવ્‍યો. જેનુ ભાડું રૂા.2,000 કરી દેવામાં આવ્‍યુ, અગાઉ હરાજીમાં 3000 ની આસપાસ ભાડું હતું, પરંતુ ત્‍યાં મળેલી દુકાનો નહિ ચાલવાના કારણે તથા નગરપાલિકાની તાનાશાહીને લઈને ફરી ડ્રો કરવાની ફરજ પડી હતી. આ વખતે આપવામાં આવેલ દુકાન એક વર્ષ માટે અપાઈ છે.
સાથે દીવમાં છૂટક ધંધો કરતા લારી ગલ્લા, રેકડીઓ તથા ફેરી કરતા અથવા નાના વેપારીઓ જે રોડ રસ્‍તા ઉપર વેપાર કરે છે તેના માટે ઉઘરાણી માટે હરાજી કરવામાં માટે બે વ્‍યક્‍તિઓએ નામ નોંધાવ્‍યા હતા. જેની હરાજીની શરૂઆત પાંચલાખ એક મહિનાના એમ વર્ષ દરમિયાન આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. હરાજીમાં બોલી પાંચ લાખ વીસ હજારની ઊંચ બોલી બોલાય હતી. જે ફકીર અમીન નસરુદ્દીન નામના વ્‍યક્‍તિએ સફળતાપૂર્વક ઉચ ભાવ આપી વર્ષ માટે પોતાની બોલી નોંધાવી હતી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

Leave a Comment