March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.14: વરસાદની સિઝન ચાલુ થઈગઈ છે ત્‍યારે ટ્રાફિક પોલીસના સાથે સાથે ટીઆરબી જવાનો પણ ટ્રાફિક નિયમનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે ત્‍યારે વરસાદી સિઝનમાં વરસાદથી રક્ષણ મેળવવા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડીએસપી કચેરી ખાતે સાબર ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા ટીઆરબી જવાનો માટે રેઈનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા 96 જેટલા ટીઆરબી જવાનોને વરસાદથી રક્ષણ મેળવવા રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, સાબર ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલ સિંહ રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા ટીઆરપી જવાનો આ કાર્યક્રમમાં હાજર રહી વરસાદથી રક્ષણ મેળવવા નિઃશુલ્‍ક રેઈનકોટ મેળવ્‍યા હતા.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

Leave a Comment