July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

સાબરકાંઠા જિલ્લાના મુખ્‍ય મથક હિંમતનગર શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા રાત્રી દરમિયાન હોસ્‍પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની વિગત એવી રીતની છે કે, શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં એક યુવતીને ગર્ભપાત કરાવવા સારું યુવતી માનવ ગાયનેક હોસ્‍પિટલમાં પહોંચી હતી અને ડોક્‍ટર દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. ત્‍યારબાદ ખાનગી બાતમીને આધારે આરોગ્‍ય વિભાગે રાત્રી દરમિયાન માનવ ગાયનેક હોસ્‍પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા માનવ ગાયનેક હોસ્‍પિટલના ડોક્‍ટર મુશ્‍કેલીમાં મુકાયા હતા અને ગર્ભપાત કરવાની કાર્યવાહીથી દૂર થયા હતા. આરોગ્‍ય વિભાગની ટીમ રાત્રી દરમિયાન તપાસ હાથ ધરતા માનવ ગાયનેક હોસ્‍પિટલના સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરવામાં આવ્‍યા હતા.
આ અંગે માનવ ગાયનીક હોસ્‍પિટલના ડોક્‍ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, હોસ્‍પિટલમાં આવો કોઈ જ બનાવ બન્‍યો નથી તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડોક્‍ટર રાજ સુતરીયાએજણાવ્‍યું હતું કે રાત્રી દરમિયાન માનવ હોસ્‍પિટલમાં સોનોગ્રાફી કરતા હોય તેવી બાતમી મળી હતી જે અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી
સમગ્ર મામલે ખાનગી બાતમીદારે જણાવ્‍યું હતું કે, શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં અપરિણીત યુવતીને ગર્ભપાત માટે દાખલ કરવામાં આવી હતી. ડોક્‍ટર દ્વારા સારવાર પણ ચાલુ કરી દેવામાં આવી હતી. ત્‍યારબાદ આરોગ્‍ય વિભાગને જાણ કરવામાં આવતા આરોગ્‍ય વિભાગની ટીમ હોસ્‍પિટલમાં પહોંચી હતી અને માત્ર ને માત્ર હોસ્‍પિટલમાં સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરી સંતોષ માનવામાં આવ્‍યો હતો. આ સમગ્ર ઘટના મામલે હિંમતનગર તાલુકા હેલ્‍થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્‍યું હતું કે, આરોગ્‍ય વિભાગ દ્વારા હોસ્‍પિટલને નોટિસ આપવામાં આવી છે. રોષે ભરાયેલા બાતમી દારે આરોગ્‍ય વિભાગની નિષ્‍ફળ કામગીરી સામે સવાલો ઉઠાવ્‍યા છે.
હવે જોવાનું રહ્યું કે, આરોગ્‍ય વિભાગ દ્વારા હોસ્‍પિટલ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Related posts

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ-બિયરના પ્રભાવને ખતમ કરવા ચૂંટણી તંત્રએ શરૂ કરેલી કવાયત: સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે પ્રદેશના 8 ડિસ્‍ટિલરી પ્રબંધકો સાથે બેઠક કરી આપેલી જાણકારી

vartmanpravah

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment