October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

સાબરકાંઠા જિલ્લાના મુખ્‍ય મથક હિંમતનગર શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા રાત્રી દરમિયાન હોસ્‍પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની વિગત એવી રીતની છે કે, શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં એક યુવતીને ગર્ભપાત કરાવવા સારું યુવતી માનવ ગાયનેક હોસ્‍પિટલમાં પહોંચી હતી અને ડોક્‍ટર દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. ત્‍યારબાદ ખાનગી બાતમીને આધારે આરોગ્‍ય વિભાગે રાત્રી દરમિયાન માનવ ગાયનેક હોસ્‍પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા માનવ ગાયનેક હોસ્‍પિટલના ડોક્‍ટર મુશ્‍કેલીમાં મુકાયા હતા અને ગર્ભપાત કરવાની કાર્યવાહીથી દૂર થયા હતા. આરોગ્‍ય વિભાગની ટીમ રાત્રી દરમિયાન તપાસ હાથ ધરતા માનવ ગાયનેક હોસ્‍પિટલના સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરવામાં આવ્‍યા હતા.
આ અંગે માનવ ગાયનીક હોસ્‍પિટલના ડોક્‍ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, હોસ્‍પિટલમાં આવો કોઈ જ બનાવ બન્‍યો નથી તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડોક્‍ટર રાજ સુતરીયાએજણાવ્‍યું હતું કે રાત્રી દરમિયાન માનવ હોસ્‍પિટલમાં સોનોગ્રાફી કરતા હોય તેવી બાતમી મળી હતી જે અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી
સમગ્ર મામલે ખાનગી બાતમીદારે જણાવ્‍યું હતું કે, શહેરના આરોગ્‍ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્‍પિટલમાં અપરિણીત યુવતીને ગર્ભપાત માટે દાખલ કરવામાં આવી હતી. ડોક્‍ટર દ્વારા સારવાર પણ ચાલુ કરી દેવામાં આવી હતી. ત્‍યારબાદ આરોગ્‍ય વિભાગને જાણ કરવામાં આવતા આરોગ્‍ય વિભાગની ટીમ હોસ્‍પિટલમાં પહોંચી હતી અને માત્ર ને માત્ર હોસ્‍પિટલમાં સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરી સંતોષ માનવામાં આવ્‍યો હતો. આ સમગ્ર ઘટના મામલે હિંમતનગર તાલુકા હેલ્‍થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્‍યું હતું કે, આરોગ્‍ય વિભાગ દ્વારા હોસ્‍પિટલને નોટિસ આપવામાં આવી છે. રોષે ભરાયેલા બાતમી દારે આરોગ્‍ય વિભાગની નિષ્‍ફળ કામગીરી સામે સવાલો ઉઠાવ્‍યા છે.
હવે જોવાનું રહ્યું કે, આરોગ્‍ય વિભાગ દ્વારા હોસ્‍પિટલ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Related posts

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

Leave a Comment