October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્‍તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્‍સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્‍થાનિક આગેવાનોએ વલસાડ કલેક્‍ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્‍યના મુખ્‍યપ્રધાન અને રાજ્‍યના ગૃહરાજ્‍ય પ્રધાનને આવેદનપત્રની નકલો મોકલી કાર્યવાહીની માંગણી કરી છે. વલસાડ વિભાગ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્‍થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્‍દરભાઈ સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્‍થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્‍સલવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા છે. જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર આ લોકો હિન્‍દુઆદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂધ્‍ધ કાર્યવાહી, ઝગડો ઉભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્‍તી બનાવવાની વાતો કરે છે.

Related posts

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment