April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: આગામી 29-07-2023 ના રોજ મુસ્‍લિમ બિરાદરોનો મોહરમ એટલે કે તાજીયાનો તહેવાર હોય પારડી તથા પારડીના આજુબાજુના વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છિનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે એક શાંતિસમિતિની બેઠક મળી હતી.
પારડી તથા આજુબાજુના વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી.જે. સરવૈયા એ બેઠકમાં ઉપસ્‍થિત સૌ હિન્‍દુ મુસ્‍લિમ પ્રબુદ્ધ નાગરિકોને અનેક સલાહ સૂચનો કરવામાં આવ્‍યા હતા અને સામેથી પણ મુસ્‍લિમ બિરાદરોને તેઓ કયાંથી કયાં રૂટ થી તાજીયા લઈ જશે અને એને કયાં ઠંડા કરવામાં આવશે, તાજીયાના જુલૂસમાં આશરે કેટલા બિરાદરો ઉપસ્‍થિતિ રહેશે જેવી તમામ માહિતીઓ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત હિન્‍દુ મુસ્‍લિમ વચ્‍ચે કંઈક અનિચ્‍છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્‍યાન રાખવામાં આવે નું પણ ખાસ સૂચન કરવામાં આવ્‍યું હતું.
સામે પક્ષે ઉપસ્‍થિત રહેલા સૌ મુસ્‍લિમ બિરાદરોએ પણ વર્ષોની પરંપરા મુજબ હિન્‍દુ-મુસ્‍લિમ ભાઈ-ભાઈની ભાઈચારાની ભાવનાથી મોહરમની ઉજવણી કરવામાં આવશે હોવાની ખાત્રી આપવામાં આવી હતી.
આજની આ શાંતિ સમિતિની બેઠકમાં અનવરભાઈ, ભરતભાઈ પટેલ, પ્રેમલસિહ ચૌહાણ, ધર્મેશ મોદી, નીલ શેઠ, વેપારી મંડળના પ્રમુખ કલ્‍પેશભાઈ, ઉપ પ્રમુખ દિવ્‍યેશભાઈ, કોલકના સરપંચ ગ્રેવિન ટંડેલ, ઉપ સરપંચ અઝીઝ કોલક્કર, દિલાવર, ફૈસલ, ઈશામ, નીરવ દેસાઈ, સાજીદ, રઝિંન, ફઝલ, જીજ્ઞેશ, સલમાન, નોમન, માઝ, સવબન, યાસીન, જોબિર, ફૈઝ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમસફળ બનાવ્‍યો હતો. આજના આ કાર્યક્રમમાં યુવાનોની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.

Related posts

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

વાપી બિઝનેસ પાર્ક નજીક માદા વાઈપર સાપ સહિત 30 જેટલા વાઈપર બચ્‍ચાનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

Leave a Comment