Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી બનીજાવો ભાઈ : જય ગુરુદેવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ રાજ્‍ય મુખ્‍યાલય પર પરમપુજ્‍ય જય બાબા ગુરુદેવજી મહારાજ દ્વારા શાકાહારી સમ્‍મેલન આયોજીત કરવામા આવ્‍યું હતું.જેમા માંસાહારી અને વ્‍યસન કરવાના દુષ્‍પરિણામ અંગે જાણકારી આપી સાથે શાકાહારી બની જીવો પર દયાભાવની પ્રેરણા પણ આપવામા આવી.
માતળ અને પિતળ ભક્‍તિ પર પણ ભાર આપવામા આવ્‍યો આ આધુનિક યુગમા બાળકો માતા પિતા દ્વારા આપવામા આવતા આદેશો નહિ માને છે અને તેઓની અવહેલના કરે છે. જેનું મુખ્‍ય કારણ વ્‍યસન અને તામસિક ભોજન મુખ્‍ય કારણ છે.ગુરુદેવના અનુયાયીઓએ માતાપિતા અને ગુરુને સર્વોપરી બતાવ્‍યા અને એમના બતાવેલા રસ્‍તા પર ચાલવાનો અનુરોધ પણ કર્યો હતા. કન્‍હૈયા ઝાએ બાબાના શબ્‍દોને ફરી દોહરાવ્‍યા હતા અને કહ્યું કે હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી થઇ જાવો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થીત લોકોએ તામસિક ભોજન છોડી શાકાહારી બનવાનો પ્રણ લીધો હતો. આ સરાહનીય આયોજન માટે દાનહ સ્‍કાઉટ ગાઈડના યુવા રોવર સભ્‍ય મનીષ ઝા,અજય હરીજન અને એશ્વર્ય ગાંગોડેએ સ્‍મળતિ ભેટ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે સેલવાસ વાપી અને દમણના સંગત કન્‍હૈયા ઝા, સેલવાસના અધ્‍યક્ષ કંચન યાદવ, વાપીના રાજેશજેસ્‍વાલ દમણથી રણવીર વિશ્વકર્મા સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમ સ્‍થાનિકો ઉપસ્‍થીત રહ્યા હતા.

Related posts

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાજપ પ્રદેશના ઉપાધ્‍યક્ષ પદે નરોલીના પ્રિયાંકસિંહ પરમારની નિમણૂક

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

Leave a Comment