(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: આગામી 29-07-2023 ના રોજ મુસ્લિમ બિરાદરોનો મોહરમ એટલે કે તાજીયાનો તહેવાર હોય પારડી તથા પારડીના આજુબાજુના વિસ્તારમાં કોઈ અનિચ્છિનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને પારડી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિસમિતિની બેઠક મળી હતી.
પારડી તથા આજુબાજુના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે. સરવૈયા એ બેઠકમાં ઉપસ્થિત સૌ હિન્દુ મુસ્લિમ પ્રબુદ્ધ નાગરિકોને અનેક સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા અને સામેથી પણ મુસ્લિમ બિરાદરોને તેઓ કયાંથી કયાં રૂટ થી તાજીયા લઈ જશે અને એને કયાં ઠંડા કરવામાં આવશે, તાજીયાના જુલૂસમાં આશરે કેટલા બિરાદરો ઉપસ્થિતિ રહેશે જેવી તમામ માહિતીઓ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત હિન્દુ મુસ્લિમ વચ્ચે કંઈક અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે નું પણ ખાસ સૂચન કરવામાં આવ્યું હતું.
સામે પક્ષે ઉપસ્થિત રહેલા સૌ મુસ્લિમ બિરાદરોએ પણ વર્ષોની પરંપરા મુજબ હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈની ભાઈચારાની ભાવનાથી મોહરમની ઉજવણી કરવામાં આવશે હોવાની ખાત્રી આપવામાં આવી હતી.
આજની આ શાંતિ સમિતિની બેઠકમાં અનવરભાઈ, ભરતભાઈ પટેલ, પ્રેમલસિહ ચૌહાણ, ધર્મેશ મોદી, નીલ શેઠ, વેપારી મંડળના પ્રમુખ કલ્પેશભાઈ, ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ, કોલકના સરપંચ ગ્રેવિન ટંડેલ, ઉપ સરપંચ અઝીઝ કોલક્કર, દિલાવર, ફૈસલ, ઈશામ, નીરવ દેસાઈ, સાજીદ, રઝિંન, ફઝલ, જીજ્ઞેશ, સલમાન, નોમન, માઝ, સવબન, યાસીન, જોબિર, ફૈઝ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી આ કાર્યક્રમસફળ બનાવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં યુવાનોની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.