August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા

વૃંદાવનએપાર્ટમેન્‍ટની જર્જરીત હાલત થતા પાલિકા
પાંચ વર્ષથી નોટિસ આપતી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ શહેરમાં અનેક જર્જરીત મકાન-એપાર્ટમેન્‍ટ જોખમી બની રહ્યા છે. વખતો વખત પાલિકા દ્વારા નોટિસો અપાઈ છે. છતાં સ્‍થિતિ યથાવત રહી છે. પરિણામે રવિવારે રાત્રે તિથલ રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્‍ટ સ્‍લેબ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ તિથલ રોડ ઉપર આવેલ વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ રવિવારે રાતે 9 વાગ્‍યાના સુમારે ધરાશાયી થયો હતો. એપાર્ટમેન્‍ટ નીચે આવેલ બે દુકાનદારો ફસાયા હતા. ઘટનાની જાણ બાદ પાલિકા ટીમ, ફાયર, સિટી પોલીસ અને મામલતદાર ઘટના સ્‍થળે દોડી આવી પહોંચ્‍યા હતા. તાત્‍કાલિક એસ.ડી.આર.એફ.ની ટીમને જાણ કરાઈ હતી. કારણ કે અત્‍યારે તે વલસાડમાં છે. એસ.ડી.આર.એફ. ટીમ અને સ્‍થાનિકોએ ફસાયેલ બે દુકાનદારોને રેસ્‍ક્‍યુ કરી સલામત રીતે બહાર કાઢયા હતા. ઉલ્લેખનીય છે કે, અત્‍યારે અતિશય વરસાદ પડી રહ્યો છે ત્‍યારે શહેરમાં આવેલ જર્જરીત ઈમારત-મકાન સામે ખતરો છે. કંઈક તેવી સ્‍થિતિ વૃંદાવન એપાર્ટમેન્‍ટની થઈ છે. આ એપાર્ટમેન્‍ટને પાલિકા પાંચ વર્ષથી નોટિસ આપે છે. પરંતુ તેને પાડવામાં નથી આવતા. ગઈકાલ રાતની દુર્ઘટના બાદ પાલિકાએ નક્કી કર્યું છે કે હવે ડિમોલેશનકરી દેવાશે.

Related posts

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment