April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવા સ્‍વયં નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટીએ દાનહના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ વિભાગને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસનના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી વિભાગ દ્વારા સંચાલિત સેલવાસ ટાઉન ખાતેના ‘કલા કેન્‍દ્ર’માં વિવિધ સમસ્‍યાઓ ઉદ્‌ભવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેથી અહીં ઉદ્‌ભવતી વિવિધ સમસ્‍યાઓનો હલ લાવવા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી દ્વારા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ‘કલા કેન્‍દ્ર’ની લિફટ છ મહિનાથી વારંવાર બંધ થઈ રહી છે, જેના કારણે ખાસ કરીને સિનિયર સીટીઝનોને ઉપર જવા-આવવામાં ભારે તકલીફો પડી રહી છે. કારણ કે, ત્રીજા માળે લાઈબ્રેરી આવેલી છે આલાઈબ્રેરીમાં વાંચન માટે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનો મોટા ભાગે આવતા હોય છે. ઉપરાંત આ લાઈબ્રેરીમાં આવતા લોકો માટે પીવાના પાણીની પણ કોઈ જ સગવડ નથી. સાથે લાઈબ્રેરીમાં નવા એર કન્‍ડીશનર(એ.સી.) લગાવવામાં આવેલ છે એ પણ કામ કરતા નથી અને બંધ હાલતમાં છે જેના કારણે લાઈબ્રેરીમાં વાંચન માટે આવતા સિનિયર સીટીઝનો તથા વિદ્યાર્થીઓ સહિતનાઓને ગરમીનો માર સહન કરવા પડી રહ્યો છે.
જેથી આ કલા કેન્‍દ્રમાં પડતી નાની-મોટી તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવામાં આવે અને સમય સમય પર તમામ પ્રકારની દેખરેખ અને સારસંભાળ રાખવામાં આવે એમ સંચાલકોને લેખિત ફરિયાદમાં જણાવાયું છે.

Related posts

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

Leave a Comment