(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાટે ‘લાભાર્થી’ સમ્મેલનનું આયોજન આગામી 10 જૂનના શનિવારે સવારે 11:30 વાગ્યે દાનહની ડો. એ.પી.જે. અબ્દુલ કલામના સભાખંડમાં કરવામાં આવ્યું છે. આ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી (આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય) શ્રી કૌશલ કિશોરના હસ્તે લાભાર્થીઓને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવશે અને મંત્રીશ્રી સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે દાનહના તમામ લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.