March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ વન અભિયાન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રર્મ ધરમપુરના માલનપાડાના ડુંગર વિસ્‍તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કે. એ. ઝાલા રાઉન્‍ડ ફોરેસ્‍ટર સિંદુમ્‍બર અને એસ. એન. વાઘેલા ઈ.ચા બીટગાર્ડ સિંદુમ્‍બર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અતિથિ વિશેષ પદે યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
યુવા બોર્ડના વલસાડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, સામાજિક અગ્રણી ગણેશભાઈ બીરારી, જિલ્લા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ તથા યુવા બોર્ડના નગર પાલિકા સંયોજક દિવ્‍યેશ ભોયા, ધવલ ભોયા સહિત યુવાઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન યુવા બોર્ડ ધરમપુર નગરપાલિકાદ્વારા સતત 5 દિવસ થશે અને વધુમાં વધુ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment