Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબ જ જરૂરીઃ પવન એચ. બનસોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય શ્રી શ્રીધર એમ. ભોસલેના માર્ગદર્શનમાં શનિવારે મોટી દમણ કોર્ટ પરિસરમાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને ન્‍યાયપાલિકાની પ્રક્રિયાની બાબતમાં જાણકારી આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત આ કાનૂની સાક્ષરતા શિબિરમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબજ જરૂરી છે. જ્‍યાં સુધી યુવા પેઢીશિક્ષિત નહીં હશે ત્‍યાં સુધી તેમણે કાનૂની અધિકારો અને કર્તવ્‍યની જાણકારી પણ આપી નથી શકાતી. તેમણે બાળકોના 8મા ધોરણમાં સમાજશાષા વિષયમાં ન્‍યાયપાલિકા પ્રકરણની બાબતમાં જાણકારી આપતાં તેમણે નીચલી અદાલત, જિલ્લા અને સત્ર ન્‍યાયાલય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની જાણકારી આપી હતી.
પ્રારંભમાં યુવા એડવોકેટ શ્રી ઉદય પટેલે શિક્ષણના અધિકારની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના નાગરિકોને બંધારણમાં દરેકને ભણવા-લખવાનો અધિકાર આપવામાં આવ્‍યો છે. આ કાયદો દેશના પ્રત્‍યેક 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવાનો પક્ષધર છે. ખાનગી શાળાઓમાં પણ 25 ટકા બેઠકો અનામત વર્ગના બાળકો માટે આરક્ષિત રાખવાની છે. આ નિયમનું પાલન નહીં કરતી શાળાઓની માન્‍યતા રદ્‌ કરવાનું પણ પ્રાવધાન છે. આ અધિનિયમ અંતર્ગત દરેક શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ હોવી આવશ્‍યક છે. જેમાં ક્‍લાસરૂમ, ટોયલેટ, રમતનું મેદાન, પીવાનું પાણી, બપોરનું ભોજન અને પુસ્‍તકાલય સામેલ છે. આ અધિનિયમના મુજબ શાળા કોઈપણ પ્રકારનું ડોનેશન, કેપીટેશન ફી લઈ શકતી નથી. તેમણે શુદ્ધ હવા, જળ, ખોરાક, રહેઠાણ અને શિક્ષણના અધિકારની બાબતમાં પણ જાણકારી આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment