July 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

ચાલકની સમય સુચકતા કારગત નિવડી :
બાળકોના પુસ્‍તક-દફતર બળી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ અતુલ બ્રિજ નીચે આજુ ગુરૂવારે બપોરે એક ખાનગી સ્‍કૂલ વાન ચાલુ હાલતમાં અચાનક આગ ભભૂકી ઉટી હતી. ચાલકની સમય સુચકતા આધિન બે બાળકો અને ચાલકનો બચાવ થવા પામ્‍યો હતો.
દીલધડક આગાની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે અતુલ બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાન સમયસર સ્‍કૂલમાંથી બાળકો ભરીને નિકળી હતી. વચ્‍ચે અમુક બાળકો ઉતરી ગયા હતા. છેલ્લે બે બાળક અને ચાલક વાનમાં બેઠા હતા. વાન નં.જીજે 05 સીએચ 0632 અતુલ બ્રિજ નીચેથી પસાર થતીહતી. ત્‍યાં ચાલુ વાને અચાનક એન્‍જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. ચાલકે સમય સુચકતા વાપરી બે બાળકો અને પોતે નીચે ઉતરી જતા સલામત બચાવ થયો હતો. આગની જાણ થતા અતુલ કંપનીનું ફાયર ફાઈટર ઘટના સ્‍થળે આવી આગ બુઝાવી હતી. આગમાં બાળકોના દફતર અને પુસ્‍તકો બળીને ખાખ થઈ ગયા હતા.

Related posts

પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર સ્‍વ. દેવશીભાઈ ભાટુની સ્‍મૃતિમાં સેલવાસ બિલ્‍ડર એસોસિએશન દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 130 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment