October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડના 50 વર્ષ અને ગજેરા ટ્રસ્‍ટના 30 વર્ષ પૂરા થતા ‘દે ઘુમાંકે-2023′ પ્રતિયોગિતાનું તા.01-02-2023 થી તા.08-02-2023 સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. જેનું આજરોજ ચુનીભાઈ ગજેરાના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતુ. આ પ્રતિયોગિતાના આયોજક પ્રો. પરિક્ષિત પટેલના જણાવ્‍યા મુજબ, આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાની કુલ 24 ટીમોએ ભાગ લીધો છે. આ પ્રતિયોગિતા નોકઆઉટ પ્રકારની હશે. આ પ્રતિયોગિતાની સેમી ફાઈનલ અને ફાઈનલ 08-02-2023 નાં રોજ રમાડવામાંઆવશે.
ઉદ્‌ઘાટન બાદ જાદી રાણા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, તલાસરી અને કલ્‍યાણી શાળા, અતુલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની હતી, ત્‍યાર બાદ બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ શાળા, વલસાડ અને દક્ષિણા વિદ્યાલય, નારગોલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાય હતી. જેમાં દક્ષિણા વિદ્યાલય વિજેતા બની હતી. ત્‍યારબાદ કવોલીફાઈડ સ્‍પર્ધામાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. આ સિવાય તા.7/02/2023 દરમિયાન દરરોજ જુદી જુદી ટીમો વચ્‍ચે નોક આઉટ રમાશે અને ત્‍યારબાદ તા.8/02/2023 ના રોજ ફાઇનલ યોજાશે. લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્‍ટી ચૂનીભાઈ ભાઈ ગજેરા તેમજ લક્ષ્મી વિદ્યાપીઠ અંતર્ગત આવેલ વિવિધ શાળાઓ તથા કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ ઈજનેરી કોલેજના ડિરેક્‍ટર ડૉ. બસાવરાજ પાટીલે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

vartmanpravah

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment