March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડના 50 વર્ષ અને ગજેરા ટ્રસ્‍ટના 30 વર્ષ પૂરા થતા ‘દે ઘુમાંકે-2023′ પ્રતિયોગિતાનું તા.01-02-2023 થી તા.08-02-2023 સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. જેનું આજરોજ ચુનીભાઈ ગજેરાના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતુ. આ પ્રતિયોગિતાના આયોજક પ્રો. પરિક્ષિત પટેલના જણાવ્‍યા મુજબ, આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાની કુલ 24 ટીમોએ ભાગ લીધો છે. આ પ્રતિયોગિતા નોકઆઉટ પ્રકારની હશે. આ પ્રતિયોગિતાની સેમી ફાઈનલ અને ફાઈનલ 08-02-2023 નાં રોજ રમાડવામાંઆવશે.
ઉદ્‌ઘાટન બાદ જાદી રાણા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, તલાસરી અને કલ્‍યાણી શાળા, અતુલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની હતી, ત્‍યાર બાદ બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ શાળા, વલસાડ અને દક્ષિણા વિદ્યાલય, નારગોલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાય હતી. જેમાં દક્ષિણા વિદ્યાલય વિજેતા બની હતી. ત્‍યારબાદ કવોલીફાઈડ સ્‍પર્ધામાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. આ સિવાય તા.7/02/2023 દરમિયાન દરરોજ જુદી જુદી ટીમો વચ્‍ચે નોક આઉટ રમાશે અને ત્‍યારબાદ તા.8/02/2023 ના રોજ ફાઇનલ યોજાશે. લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્‍ટી ચૂનીભાઈ ભાઈ ગજેરા તેમજ લક્ષ્મી વિદ્યાપીઠ અંતર્ગત આવેલ વિવિધ શાળાઓ તથા કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ ઈજનેરી કોલેજના ડિરેક્‍ટર ડૉ. બસાવરાજ પાટીલે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment