March 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓ માટે પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 પછી શું? વિજ્ઞાન પ્રવાહ જ શા માટે?, આઈઆઈટી, આઈઆઈઆઈટી, આઈઆઈએમ તેમજ એમબીબીએસ જેવા ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ કેવી રીતે મળવી શકાય? ઉપરાંત વિનામૂલ્‍યે જેઈઈ અને નીટની તૈયારી કેવી રીતે કરવી? જેના સંદર્ભમાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીમાં આગામી 06 એપ્રિલ, 2024ના શનિવારેસવારે 10:00 વાગ્‍યાથી આઈઆઈટી દીલ્‍હીના શ્રી અવિરાજ એસ.ચૌધરી અને જેઈઈ-નીટ જ્ઞાન મંજરી ભાવનગરના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્‍યમ માટે ઉચ્‍ચ કારકિર્દીની તીવ્ર ઈચ્‍છા રાખનાર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર લાભરૂપ છે. તેથી મોટી સંખ્‍યામાં આ સેમિનારનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રયોશા સંસ્‍થાન દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં દીપડી બચ્‍ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

Leave a Comment