Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓ માટે પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 પછી શું? વિજ્ઞાન પ્રવાહ જ શા માટે?, આઈઆઈટી, આઈઆઈઆઈટી, આઈઆઈએમ તેમજ એમબીબીએસ જેવા ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ કેવી રીતે મળવી શકાય? ઉપરાંત વિનામૂલ્‍યે જેઈઈ અને નીટની તૈયારી કેવી રીતે કરવી? જેના સંદર્ભમાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીમાં આગામી 06 એપ્રિલ, 2024ના શનિવારેસવારે 10:00 વાગ્‍યાથી આઈઆઈટી દીલ્‍હીના શ્રી અવિરાજ એસ.ચૌધરી અને જેઈઈ-નીટ જ્ઞાન મંજરી ભાવનગરના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્‍યમ માટે ઉચ્‍ચ કારકિર્દીની તીવ્ર ઈચ્‍છા રાખનાર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર લાભરૂપ છે. તેથી મોટી સંખ્‍યામાં આ સેમિનારનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રયોશા સંસ્‍થાન દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment