September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓ માટે પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 પછી શું? વિજ્ઞાન પ્રવાહ જ શા માટે?, આઈઆઈટી, આઈઆઈઆઈટી, આઈઆઈએમ તેમજ એમબીબીએસ જેવા ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ કેવી રીતે મળવી શકાય? ઉપરાંત વિનામૂલ્‍યે જેઈઈ અને નીટની તૈયારી કેવી રીતે કરવી? જેના સંદર્ભમાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીમાં આગામી 06 એપ્રિલ, 2024ના શનિવારેસવારે 10:00 વાગ્‍યાથી આઈઆઈટી દીલ્‍હીના શ્રી અવિરાજ એસ.ચૌધરી અને જેઈઈ-નીટ જ્ઞાન મંજરી ભાવનગરના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્‍યમ માટે ઉચ્‍ચ કારકિર્દીની તીવ્ર ઈચ્‍છા રાખનાર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર લાભરૂપ છે. તેથી મોટી સંખ્‍યામાં આ સેમિનારનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રયોશા સંસ્‍થાન દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ

vartmanpravah

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

Leave a Comment