April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

પ્રતિ ત્રણ વર્ષે જે ખેતી સાથે સંકળાયેલા હોય તેઓને કિસાન સંઘમાં જોડવા માટે અભિયાન હાથ ધરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ. જેમાંજિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં સભ્‍ય કિસાનો ઉપસ્‍થિત રહ્યા હતા. મિટિંગમાં સદસ્‍યતા અભિયાનની માહિતી આપવામાં આવી હતી. આ અભિયાન પ્રતિ ત્રણ વર્ષ બાદ હાથ ધરાય છે.
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની અધ્‍યક્ષતામાં તાલુકાના હોદ્દેદારો સહિતની મિટિંગ યોજાઈ હતી. જેમાં નવા સદસ્‍યોની નોંધણી પ્રક્રિયા સમજાવાઈ હતી. અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો ભારતીય કિસાન સંઘના સભ્‍ય બન્‍યા છે. આ એકમાત્ર ખેડૂતો માટેની રાષ્‍ટ્રિય સંસ્‍થા છે. ભારતીય કિસાન સંઘના રાષ્‍ટ્રિય મંત્રી બાબુભાઈ પટેલ ખાસ મિટિંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિની રચના કરવામાં આવે છે. આ પ્રસંગે સંગઠનની વિસ્‍તૃત માહિતી પ્રમુખ શસીકાંત પટેલએ આપી હતી. ખેડૂતોના હિત માટે ભારતીય કિસાન સંઘ કાર્યરત છે. જ્‍યારે જરૂર પડે ત્‍યારે સંઘ ખેડૂતોને માર્ગદર્શન-સહકાર આપે છે. વલસાડ જિલ્લામાં ઓછામાં ઓછા 25 હજાર ખેડૂતોને સભ્‍ય તરીકે જોડવામાં આવશે. મિટિંગમાં કપરાડા-ધરમપુર તાલુકાની ગ્રામ સમિતિઓનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

Leave a Comment