July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

પ્રતિ ત્રણ વર્ષે જે ખેતી સાથે સંકળાયેલા હોય તેઓને કિસાન સંઘમાં જોડવા માટે અભિયાન હાથ ધરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ. જેમાંજિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં સભ્‍ય કિસાનો ઉપસ્‍થિત રહ્યા હતા. મિટિંગમાં સદસ્‍યતા અભિયાનની માહિતી આપવામાં આવી હતી. આ અભિયાન પ્રતિ ત્રણ વર્ષ બાદ હાથ ધરાય છે.
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની અધ્‍યક્ષતામાં તાલુકાના હોદ્દેદારો સહિતની મિટિંગ યોજાઈ હતી. જેમાં નવા સદસ્‍યોની નોંધણી પ્રક્રિયા સમજાવાઈ હતી. અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો ભારતીય કિસાન સંઘના સભ્‍ય બન્‍યા છે. આ એકમાત્ર ખેડૂતો માટેની રાષ્‍ટ્રિય સંસ્‍થા છે. ભારતીય કિસાન સંઘના રાષ્‍ટ્રિય મંત્રી બાબુભાઈ પટેલ ખાસ મિટિંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિની રચના કરવામાં આવે છે. આ પ્રસંગે સંગઠનની વિસ્‍તૃત માહિતી પ્રમુખ શસીકાંત પટેલએ આપી હતી. ખેડૂતોના હિત માટે ભારતીય કિસાન સંઘ કાર્યરત છે. જ્‍યારે જરૂર પડે ત્‍યારે સંઘ ખેડૂતોને માર્ગદર્શન-સહકાર આપે છે. વલસાડ જિલ્લામાં ઓછામાં ઓછા 25 હજાર ખેડૂતોને સભ્‍ય તરીકે જોડવામાં આવશે. મિટિંગમાં કપરાડા-ધરમપુર તાલુકાની ગ્રામ સમિતિઓનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment