September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતી મંડળ સુરખાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, શૈક્ષણિક, બેરોજગારી જેવા મુદ્દાઓમાં યોગદાન આપી સમાજ માટે દીવાદાંડી બન્‍યું છે. સમાજમાં નવી ચેતના, ઉર્જા પ્રસરાવવા માટે છેલ્લા 25-વર્ષથી આયોજિત સમુહ લગ્નોત્‍સવમાં ચીખલી તથા આસપાસના છ જેટલા તાલુકાના નવ દંપતિઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્‍સવની શરૂઆત વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ, આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ, અગ્રણી એ.કે.પટેલ, શાંતુભાઈ, ગંગાબેન, ચંપકભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કડોદરાના પીઆઈ રાકેશભાઈ તથા પ્રીતિબહેનના હસ્‍તે કળશ પૂજાથી કરવામાં આવી હતી. આચાર્ય મહેન્‍દ્રભાઈ દેસાઈની શાષાોક્‍ત વિધિથી સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવી સંપન્ન કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે નવ દંપતીઓને આર્શીવચન આપતા જણાવાયું હતું કે નવ દંપતિઓએ સમહુ લગ્નોત્‍સવમાં ભાગ લઈ સમાજને લોકોના ઉત્‍થાન માટે જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી રહેલ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આયોજકોનેઅભિનંદન પાઠવ્‍યા હતા. 25-માં સમહુ લગ્નોત્‍સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવ દંપતિઓને દાતાઓના સહયોગથી કન્‍યાદાનમાં 51-જેટલી વસ્‍તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

Related posts

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment