July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતી મંડળ સુરખાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, શૈક્ષણિક, બેરોજગારી જેવા મુદ્દાઓમાં યોગદાન આપી સમાજ માટે દીવાદાંડી બન્‍યું છે. સમાજમાં નવી ચેતના, ઉર્જા પ્રસરાવવા માટે છેલ્લા 25-વર્ષથી આયોજિત સમુહ લગ્નોત્‍સવમાં ચીખલી તથા આસપાસના છ જેટલા તાલુકાના નવ દંપતિઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્‍સવની શરૂઆત વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ, આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ, અગ્રણી એ.કે.પટેલ, શાંતુભાઈ, ગંગાબેન, ચંપકભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કડોદરાના પીઆઈ રાકેશભાઈ તથા પ્રીતિબહેનના હસ્‍તે કળશ પૂજાથી કરવામાં આવી હતી. આચાર્ય મહેન્‍દ્રભાઈ દેસાઈની શાષાોક્‍ત વિધિથી સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવી સંપન્ન કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે નવ દંપતીઓને આર્શીવચન આપતા જણાવાયું હતું કે નવ દંપતિઓએ સમહુ લગ્નોત્‍સવમાં ભાગ લઈ સમાજને લોકોના ઉત્‍થાન માટે જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી રહેલ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આયોજકોનેઅભિનંદન પાઠવ્‍યા હતા. 25-માં સમહુ લગ્નોત્‍સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવ દંપતિઓને દાતાઓના સહયોગથી કન્‍યાદાનમાં 51-જેટલી વસ્‍તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

Related posts

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

Leave a Comment