October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતી મંડળ સુરખાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, શૈક્ષણિક, બેરોજગારી જેવા મુદ્દાઓમાં યોગદાન આપી સમાજ માટે દીવાદાંડી બન્‍યું છે. સમાજમાં નવી ચેતના, ઉર્જા પ્રસરાવવા માટે છેલ્લા 25-વર્ષથી આયોજિત સમુહ લગ્નોત્‍સવમાં ચીખલી તથા આસપાસના છ જેટલા તાલુકાના નવ દંપતિઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્‍સવની શરૂઆત વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ, આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ, અગ્રણી એ.કે.પટેલ, શાંતુભાઈ, ગંગાબેન, ચંપકભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કડોદરાના પીઆઈ રાકેશભાઈ તથા પ્રીતિબહેનના હસ્‍તે કળશ પૂજાથી કરવામાં આવી હતી. આચાર્ય મહેન્‍દ્રભાઈ દેસાઈની શાષાોક્‍ત વિધિથી સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવી સંપન્ન કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે નવ દંપતીઓને આર્શીવચન આપતા જણાવાયું હતું કે નવ દંપતિઓએ સમહુ લગ્નોત્‍સવમાં ભાગ લઈ સમાજને લોકોના ઉત્‍થાન માટે જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી રહેલ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આયોજકોનેઅભિનંદન પાઠવ્‍યા હતા. 25-માં સમહુ લગ્નોત્‍સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવ દંપતિઓને દાતાઓના સહયોગથી કન્‍યાદાનમાં 51-જેટલી વસ્‍તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

Related posts

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

Leave a Comment