September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.26 ઓગસ્‍ટને શનિવારે સવારે 9 કલાકે વાપી ખાતે બુથ સશક્‍તિકરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ 9-45 કલાકે ઉમરગામના ફણસા ખાતે ગ્રામ પંચાયતના મકાનના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભીલાડ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રખાતે એસ.એન.સી.યુ.ના નવીન બાંધકામનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે તા.27 ઓગસ્‍ટ રવિવારે સવારે 9.30 કલાકે વાપીના ચલા ખાતે કસ્‍ટમ રોડ પર સ્‍થિત સેંટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કૂલમાં વાપી મેડિકલ સેલ અને વાપી શહેર મંડળ દ્વારા આયોજિત નિઃશુલ્‍ક મોન્‍સૂન મેડિકલ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ સવારે 11 કલાકે વલસાડના રેલવે જીમખાના ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા ઉદ્યમીઓએ બનાવેલી વસ્‍તુઓની પ્રદર્શની કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાતે જશે.

Related posts

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યના દરેક ગરીબ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે અમે જે ઝુંબેશ શરૂ કરી હતી તેના અનુભવો હવે આખા દેશના ગરીબો ઉપયોગ કરી રહ્યા છે

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment