(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.26 ઓગસ્ટને શનિવારે સવારે 9 કલાકે વાપી ખાતે બુથ સશક્તિકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9-45 કલાકે ઉમરગામના ફણસા ખાતે ગ્રામ પંચાયતના મકાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે એસ.એન.સી.યુ.ના નવીન બાંધકામનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે તા.27 ઓગસ્ટ રવિવારે સવારે 9.30 કલાકે વાપીના ચલા ખાતે કસ્ટમ રોડ પર સ્થિત સેંટ ફ્રાન્સિસ હાઈસ્કૂલમાં વાપી મેડિકલ સેલ અને વાપી શહેર મંડળ દ્વારા આયોજિત નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 11 કલાકે વલસાડના રેલવે જીમખાના ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા ઉદ્યમીઓએ બનાવેલી વસ્તુઓની પ્રદર્શની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વાપીમાં મત વિસ્તારોની મુલાકાતે જશે.