September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્‍તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્‍યવસ્‍થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્‍યા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જેનું નિરાકરણ લાવવા માટે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહદેવભાઈ વઘાતે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના પત્ર ક્રમાંકઃ અરજી/102020/10049 મુજબ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધ્‍યાન દોરી રૂર્બન યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની સરકારી વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી મળી રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગેની લેખિત જાણકારી મંત્રીશ્રી પંચાયત વિભાગ શ્રી બચુભાઈ ખાબડ અને મંત્રીશ્રી ગ્રામ વિકાસ વિભાગ શ્રી કુંવરજીભાઈ હળપતિને કરવામાં આવી હતી. જેને સંદર્ભમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ કાર્યાલય દ્વારા રજૂઆતને ધ્‍યાનમાં નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતની નવી પેઢીને સુશિક્ષિત બનાવવા પંચાયતનું લક્ષઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

Leave a Comment