Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણ રાજસિંહ વાઘેલાના અધ્‍યક્ષતા હેઠળ લોક દરબારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારીએ ઉમરગામના પૂર્વ ભાગ અર્થાત મહારાષ્‍ટ્ર, તલાસરી, આમગામ વગેરે વિસ્‍તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પડી રહેલી મુશ્‍કેલીને દૂર કરવા સંજાણ ઓવરબ્રિજને વહેલી તકે ચાલુ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત મમકવાડ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અમૃતભાઈ પટેલે સ્‍મશાન ગૃહમાંથી ચોરાઈ જતી સગડી અને રખડતા ઢોરોના ત્રાસની રજૂઆત કરી હતી. રજૂઆતોના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ સિંહ વાઘેલાએ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી અને જણાવ્‍યું હતું કે, ચોરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે તેમજ રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે ગ્રામ પંચાયતો અને પાલિકા માટે રાજ્‍ય સરકાર બહાર પાડેલા પરિપત્રને અનુસરીને કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી. આ ઉપરાંત સંજાણ ઓવરબ્રિજના સંદર્ભમાં રેલવે તંત્રનું ધ્‍યાન દોરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાએ ઉમરગામ પોલીસ મથક દ્વારા ગુના ઉકેલમાં થયેલી કામગીરીથી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી શ્રી દવે તેમજ યુઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકા ઉપ પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, સામાજિક આગેવાનો અને ગ્રામપંચાયતના સરપંચો વગેરેની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ઉમરગામ પોલીસ મથકના પી.આઈ શ્રી વી. ડી. મોરી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિવાળી પર્વ ઉપલક્ષમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment