April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્‍તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્‍યવસ્‍થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્‍યા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જેનું નિરાકરણ લાવવા માટે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહદેવભાઈ વઘાતે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના પત્ર ક્રમાંકઃ અરજી/102020/10049 મુજબ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધ્‍યાન દોરી રૂર્બન યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની સરકારી વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી મળી રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગેની લેખિત જાણકારી મંત્રીશ્રી પંચાયત વિભાગ શ્રી બચુભાઈ ખાબડ અને મંત્રીશ્રી ગ્રામ વિકાસ વિભાગ શ્રી કુંવરજીભાઈ હળપતિને કરવામાં આવી હતી. જેને સંદર્ભમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ કાર્યાલય દ્વારા રજૂઆતને ધ્‍યાનમાં નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Related posts

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment