(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્યવસ્થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જેનું નિરાકરણ લાવવા માટે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહદેવભાઈ વઘાતે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના પત્ર ક્રમાંકઃ અરજી/102020/10049 મુજબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોરી રૂર્બન યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની સરકારી વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી મળી રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગેની લેખિત જાણકારી મંત્રીશ્રી પંચાયત વિભાગ શ્રી બચુભાઈ ખાબડ અને મંત્રીશ્રી ગ્રામ વિકાસ વિભાગ શ્રી કુંવરજીભાઈ હળપતિને કરવામાં આવી હતી. જેને સંદર્ભમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ કાર્યાલય દ્વારા રજૂઆતને ધ્યાનમાં નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.