June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનનું આજે સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.25: નવસારીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્‍દ્રીય સંચાર બ્‍યૂરો દ્વારા કેન્‍દ્ર સરકારના ‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ની વિવિધ યોજનાઓની એક જ સ્‍થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસ દરમિયાન અનેક લોકોએ આ પ્રદર્શન નિહાળ્‍યું અને ઉપયોગી માહિતી વિશે સવિસ્‍તાર માહિતી મેળવી હતી.
આ ચિત્ર પ્રદર્શનનું તા.25મી ના રોજ જિલ્લા કલેક્‍ટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્‍તે પ્રારંભ કરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસીય પ્રદર્શનમાં બીજા દિવસે વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કવિ નર્મદની જન્‍મજયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં તાલીમાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. જેમાં કવિતા વાચન, નળત્‍ય, લોકગીત અને કવિ નર્મદના જીવન-કવન વિશે જણાવવામાં આવ્‍યું હતું.
જ્‍યારે ત્રીજા દિવસે સમાપન સમારંભના અઘ્‍યક્ષ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. યોગેશ પટેલે જણાવ્‍યું હતું કે આ પ્રદર્શનથી લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી છે. જેનો લાભ એમને લેવો જોઈએ. આવા કાર્યક્રમોનું વારંવાર આયોજન થવું જોઈએ.
કાર્યક્રમના મુખ્‍ય અતિથિ સહાયક માહિતી અધિકારી શ્રી યજ્ઞેશ ગોસાઈએ જણાવ્‍યું હતું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનો મુખ્‍ય હેતુ તેને લોકો સુધી પહોંચાડવાનો હોય છે. આ પ્રદર્શન દ્વારા લોકોએ માહિતી મેળવી તેનો યોગ્‍ય લાભ લેવો જોઈએ.
સમાપન સમારંભમાં ઉપસ્‍થિત અતિથિઓ દ્વારા પ્રદર્શનમાં સહયોગી બનવા બદલ વિવિધ વિભાગ જેમ કે નશાબંધી ખાતુ, સંકલિત બાલવિકાસ સેવાઓ, વાસ્‍મો, જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્‍સી અને પોસ્‍ટ વિભાગના સ્‍ટોલ સંચાલકોને સન્‍માન ચિન્‍હ પ્રદાન કરવામાં આવ્‍યા હતા. તેમજ ત્રણેય દિવસ પ્રદર્શનની મુલાકાત કરનારાને કાપડની થેલી ભેટમાં આપી પ્‍લાસ્‍ટિકનો શકય એટલો ઉપયોગ ટાળવા સમજાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં માહિતી વિભાગના સિનિયર સબ એડિટર શ્રી રાજભાઈ જેઠવા, ઝત્‍ચ્‍વ્‍ના અધ્‍યાપકો અનેતાલીમાર્થીઓ સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પ્રદર્શનને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્‍દ્રવદનસિંહ ઝાલા અને શ્રી રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

Related posts

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

પાતલીયા ચેકપોસ્‍ટથી દારૂ ભરેલ કાર લઈ ભાગી છૂટેલ દમણના બુટલેગરને પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment