March 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે દેશના ગૃહમંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવા તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે મળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને શ્રી અજીત પવાર તથા ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આવતી કાલેમળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણય લેવાશે. આવતીકાલની બેઠક દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહત્ત્વની માનવામાં આવે છે.

Related posts

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment