Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે દેશના ગૃહમંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવા તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે મળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને શ્રી અજીત પવાર તથા ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આવતી કાલેમળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણય લેવાશે. આવતીકાલની બેઠક દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહત્ત્વની માનવામાં આવે છે.

Related posts

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment