April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે દેશના ગૃહમંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવા તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે મળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને શ્રી અજીત પવાર તથા ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આવતી કાલેમળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણય લેવાશે. આવતીકાલની બેઠક દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહત્ત્વની માનવામાં આવે છે.

Related posts

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment