દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાગૃત નાગરિકો તથા વિવિધ સેવા-સંગઠનો દ્વારા પ્રદેશની કાયાપલટ માટે પ્રશાસકશ્રીએ કરેલી તનતોડ મહેનતનું ઋણ સ્વીકારવા કરાનારો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો સ્વયંભૂ નિર્ણય પ્રદેશના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે. જેની કડીમાં આવતી કાલે વિવિધ શાળાઓ તથા હોસ્પિટલમાં ફળોનું વિતરણ, કેન્સર ડિટેક્શન કેમ્પ, મફત આંખની ચકાસણી અને ચશ્માનું વિતરણ, ઉદ્યોગ ગૃહોમાં કામદારોને શ્રમયોગી પ્રસાદ, સાડી-ધાબળાનું વિતરણ જેવા સેવાકાર્યો સ્વયંભૂ રીતે વિવિધ સેવા સંગઠનો અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવનાર છે.
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના જન્મ દિનને આગવી રીતે ઉજવી પ્રદેશના લોકો તેમણે પ્રદેશની કરેલી કાયાપલટ બદલ પ્રશાસકશ્રીના ઋણ સ્વીકારની તક ઝડપવાનો પ્રયાસ કરી રહ્યા છે.