Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાગૃત નાગરિકો તથા વિવિધ સેવા-સંગઠનો દ્વારા પ્રદેશની કાયાપલટ માટે પ્રશાસકશ્રીએ કરેલી તનતોડ મહેનતનું ઋણ સ્‍વીકારવા કરાનારો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો સ્‍વયંભૂ નિર્ણય પ્રદેશના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા લેવામાં આવ્‍યો છે. જેની કડીમાં આવતી કાલે વિવિધ શાળાઓ તથા હોસ્‍પિટલમાં ફળોનું વિતરણ, કેન્‍સર ડિટેક્‍શન કેમ્‍પ, મફત આંખની ચકાસણી અને ચશ્‍માનું વિતરણ, ઉદ્યોગ ગૃહોમાં કામદારોને શ્રમયોગી પ્રસાદ, સાડી-ધાબળાનું વિતરણ જેવા સેવાકાર્યો સ્‍વયંભૂ રીતે વિવિધ સેવા સંગઠનો અને સેવાભાવી વ્‍યક્‍તિઓ દ્વારા કરવામાં આવનાર છે.
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના જન્‍મ દિનને આગવી રીતે ઉજવી પ્રદેશના લોકો તેમણે પ્રદેશની કરેલી કાયાપલટ બદલ પ્રશાસકશ્રીના ઋણ સ્‍વીકારની તક ઝડપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment