September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

રૂા. 2. 40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત અને 32. 94 લાખના ખર્ચે બાળ વિકાસ કચેરી નું એક વર્ષના ટૂંકા ગાળામાં લોકાર્પણ થતાં લોકોમાં આનંદની લાગણી

રૂા.50 કરોડના ખર્ચે ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ કરાતા આ વિસ્‍તારોમાં વીજળીના પ્રશ્નો રહેશે નહિં. કાંઠા વિસ્‍તારમાં પણ આ રીતનું આયોજન કરાઈ રહ્યું છે: મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકા પંચાયતના રૂા.2.40 કરોડના ખર્ચે અને સી.ડી.પી.ઓ.ના રૂા.32.94 લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનનું વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મીતલ પટેલ, કપરાડા અને વલસાડના ધારાસભ્‍યો સર્વશ્રી જીતુભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરી પારડી તાલુકાની પ્રજા માટે ખુલ્લુ મૂક્‍યુ હતું.
તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેનું રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએઉદાહરણો સાથે સમજ આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં રોજગારી માટે વાયબ્રન્‍ટ ગુજરાત, ખેડૂતો માટે કળષિ મહોત્‍સવ, કોઇપણ સમાજના વિકાસ માટે બાળકો ભણીને સારો નાગરિક બને તે ધ્‍યાને લઈ બાળકોના ભવિષ્‍ય માટે શાળા પ્રવેશોત્‍સવ, મહિલાઓના વિકાસ માટે મહિલા સશક્‍તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેજ રીતે તેમણે દેશનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યા છે. અને આજે દેશના વિશ્વમાં ગૌરવવંતુ સ્‍થાન મળી રહ્યું છે. આજની યુવાપેઢીને દેશને આઝાદી કઈ રીતે મળી તેની દેશના નાગરિકોને અનુભૂતિ થાય અને આઝાદીની લડતમાં શહીદ થયેલા શહીદોના સન્‍માનમાં હર ઘર ત્રિરંગાના માધ્‍યમથી દેશપ્રેમની ચેતના જગાવી છે.
મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં ઝડપભેર થઈ રહેલા વિકાસના કામોનો સંપૂર્ણ યશ જિલ્લા વહીવટીતંત્રને જાય છે એમ જણાવ્‍યું હતું. વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.50 કરોડના ખર્ચે અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ થઈ ગયુ છે જેના લીધે લાઈટના પ્રશ્નો રહેશે નહિં જેથી સાયકલોનમાં પણ તકલીફ થશે નહિં. આવી જ રીતે જિલ્લાના કાંઠા વિસ્‍તારોમાં પણ અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ માટે આયોજન થઈ રહ્યું છે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્‍યું હતું.
તાલુકા પંચાયતના લોકાર્પણ થયેલું આ મકાન 588ચો.મી.માં બનાવવામાં આવ્‍યું છે. આ મકાન ગ્રાઉન્‍ડ પ્‍લસ એક માળનું છે. જેમાં ગ્રાઉન્‍ડ ફલોર પર પ્રમુખની ચેમ્‍બર, ટી.ડી.ઓ.ની ચેમ્‍બર, જનસેવા કેન્‍દ્ર, એ.ટી.ડી.ઓ.ની ચેમ્‍બર, મહેસૂલ શાખા, કોમ્‍પ્‍યુટર રૂમ તેમજસ્ત્રી અને પુરૂષોના શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે પ્રથમ માળે બાંધકામ શાખા, મિશન મંગલમ અને સ્‍વચ્‍છ ભારત મિશન શાખા, મનરેગા શાખા, રેકર્ડ રૂમ, કોન્‍ફરન્‍સ હોલ અનેસ્ત્રી અને પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે સી.ડી.પી.ઓ.ના મકાનમાં ગ્રાઉન્‍ડ ફલોર પર સી.ડી.પી.ઓ.ની ચેમ્‍બર, કોન્‍ફરન્‍સ હોલ, સ્‍ટોર રૂમ અનેસ્ત્રી તેમજ પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે પ્રથમ ફલોર પર મિટિંગ હોલનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુજરાત રાજ્‍યનો આજે તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. ગતરોજ નાણાંમંત્રીશ્રીએ ગ્રાહકોની જાગૃત્તિ માટે મેરા બીલ મેરા અધિકારની યોજના લોન્‍ચ કરી દરેક નાગરિકોને તેમના હક્કો પ્રત્‍યે પ્રોત્‍સાહિત કર્યા છે.
આ પ્રસંગે કપરાડા અને વલસાડના ધારાસભ્‍યો સર્વશ્રી જીતુભાઈ ચૌધરી અને ભરતભાઈપટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ પ્રાંસંગિક પ્રવચનમાં પારડી અને વાપી તાલુકા પંચાયતના મકાન અને જિલ્લા પંચાયત વલસાડના ભવન માટે જરૂરી મંજૂરી અને ઝડપી કાર્યવાહી માટે મંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.
આ કાર્યક્રમમાં પારડી તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડે સ્‍વાગત પ્રવચન અને આભારવિધિ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલે કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, પારડી પ્રાંત ડી.જે. વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલ, પારડી મામલતદાર આર. આર. ચૌધરી તેમજ પારડી તાલુકા પંચાયતના સી.ડી.પી.ઓ. હસુમતી દીવા અને તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment