April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

11 લાખના સોનાના દાગીના અને રોકડ દસ હજાર રૂપિયા ચોરાયા

પ્રતિકાત્મક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મોડી રાત્રે ચોરટાઓએ ભાડુઆત તરીકેરહેતા અને કોઈક કામ અર્થે બહારગામ ગયેલા પરિવારના ઘરનું તાળુ તોડી ચોરીને અંજામ આપ્‍યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્‍થળ ઉપર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઘરમાં રહેતા ભાડુઆત પરત આવતા પોલીસે પૂછપરછ કરતા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી થઈ હોવાની જાણકારી આપી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મહેશભાઈ ચૌહાણના બંગલામાં રમણભાઈ પ્રજાપતિ એમના પરિવાર સાથે ભાડેથી રહે છે, જેઓ તેમના કોઈક કામ અર્થે બહારગામ ફરવા ગયેલ હોય તે દરમ્‍યાન મોડી રાત્રે ચોરટાઓ એમના બંગલાનું તાળુ તોડી અંદરથી માલસામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરોલી આઉટપોસ્‍ટમાં કરાતા થાણા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને તેમની ટીમ સાથે સ્‍થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્‍યો હતો. પોલીસે ઘરમાં રહેતા રમણભાઈને ટેલીફોનીક જાણ કરી હતી. જેઓ પરત આવ્‍યા બાદ ઘરમાં વધુ તપાસ કરતા કબાટમાં મુકવામાં આવેલ સોનાના દાગીના જેની અંદાજીત કિંમત રૂા.11 લાખ અને રોકડા રૂા.10 હજારની ચોરી થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહીછે.

Related posts

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગથી દાનહ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત સ્‍વયંસેવકોને બે દિવસની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment