August 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

11 લાખના સોનાના દાગીના અને રોકડ દસ હજાર રૂપિયા ચોરાયા

પ્રતિકાત્મક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મોડી રાત્રે ચોરટાઓએ ભાડુઆત તરીકેરહેતા અને કોઈક કામ અર્થે બહારગામ ગયેલા પરિવારના ઘરનું તાળુ તોડી ચોરીને અંજામ આપ્‍યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્‍થળ ઉપર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઘરમાં રહેતા ભાડુઆત પરત આવતા પોલીસે પૂછપરછ કરતા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી થઈ હોવાની જાણકારી આપી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મહેશભાઈ ચૌહાણના બંગલામાં રમણભાઈ પ્રજાપતિ એમના પરિવાર સાથે ભાડેથી રહે છે, જેઓ તેમના કોઈક કામ અર્થે બહારગામ ફરવા ગયેલ હોય તે દરમ્‍યાન મોડી રાત્રે ચોરટાઓ એમના બંગલાનું તાળુ તોડી અંદરથી માલસામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરોલી આઉટપોસ્‍ટમાં કરાતા થાણા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને તેમની ટીમ સાથે સ્‍થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્‍યો હતો. પોલીસે ઘરમાં રહેતા રમણભાઈને ટેલીફોનીક જાણ કરી હતી. જેઓ પરત આવ્‍યા બાદ ઘરમાં વધુ તપાસ કરતા કબાટમાં મુકવામાં આવેલ સોનાના દાગીના જેની અંદાજીત કિંમત રૂા.11 લાખ અને રોકડા રૂા.10 હજારની ચોરી થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહીછે.

Related posts

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

Leave a Comment