March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અસામાજિક તત્‍વો અને ગુંડાગીર્દી સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

  • સેલવાસમાં મારબલ ઉદ્યોગોને મારબલ સ્‍લરી ડમ્‍પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાયેલા તથા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના બહાને ખેડૂતો સાથે છેતરપીંડી કરવાના આરોપી (1)વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (2)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને (3)પૃથ્‍વીસિંહ રાઠોડ સહિત એક અન્‍ય ઉત્તમ વજીર પટેલની કરાયેલી પાસા એક્‍ટ હેઠળ ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 15: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગેરકાયદે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા આરોપીઓ પ્રત્‍યે રાખવામાં આવેલી ઝીરો ટોલરન્‍સની નીતિના કારણે પ્રદેશમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ પાસેથી થતી ખંડણીની વસૂલી તથા ગરીબ આદિવાસીઓની જમીનોની હડપ કરવાની પ્રવૃત્તિ અને ગુંડાગીર્દીમાં અંકુશ આવ્‍યો છે. આજે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને વિવિધ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ 4 જેટલા શખ્‍સોને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલવાનો આદેશ કરતા ફરી એકવાર અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્તમાહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ઘણાં ભયંકર ફોજદારી ગુનામાં સામેલ એવા (1)ઉત્તમ વજીર પટેલ (રહે. આમલી મંદિર ફળિયા) (2)એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (3)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ (રહે. નરોલી) અને (4)પૃથ્‍વીસિંહ અશોકસિંહ રાઠોડ (રહે.નરોલી) સામે પાસા એક્‍ટ હેઠળ કાર્યવાહી કરી સેલવાસ જેલમાં મોકલી આપવામાં આવ્‍યા છે.
અત્રે નોંધનીય છે કે, એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી, અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને પૃથ્‍વીસિંહ રાઠોડે કેટલાક મારબલ ઉદ્યોગોને મારબલ સ્‍લરી ડમ્‍પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને પૈસાની માંગણી કરી રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્‍યારબાદ દાનહમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના નામે આ ત્રિપૂટીએ લાખોની છેતરપીંડી કરવાની હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને ચારેય શખ્‍સોને પાસામાં ધકેલી દાનહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના નામે છેતરપીંડી કરનારા અન્‍ય ઈસમો સામે પણ લાલ બત્તી ધરી છે અને પોલીસ પ્રશાસન વધુ તપાસ કરશે તો આ પ્રકરણમાં ઘણાં ભેદ ઉકેલાવાની પણ સંભાવના છે.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

નુમા ઇન્‍ડિયા, દમણ બ્રાન્‍ચ દ્વારા તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્‍પ સાઈટ પર રાષ્‍ટ્રીય કક્ષાના માર્શલ આર્ટ કેમ્‍પનું સફળ આયોજન થયું

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

Leave a Comment