March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલર પ્‍લાન્‍ટ નિહાળી તેનાથી દીવને થતાં ફાયદાની મેળવેલી વિસ્‍તૃત માહિતીઃ ખૂખરી મેમોરિયલ ખાતે આયોજીત સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશદીવ ખાતે ગઈકાલે સાંજે ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીનું આગમન થયું હતું, તેમનું દીવ એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને રાત્રિના ખૂખરી મેમોરિયલ ખાતે સાંસ્‍કળતિક કાર્યક્રમ તથા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આજરોજ તેઓએ ગુજરાતના સોમનાથ ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની મિટિંગમાં હાજરી આપી સાંજે પરત દીવ પહોંચ્‍યા હતા, ત્‍યારબાદ તેઓ દીવના હેરીટેજ વોક વે, ફુદમ સ્‍થિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને સોલર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત કરી જ્‍યાં તેઓએ સોલર પાવર પ્‍લાન્‍ટથી દીવને થઈ રહેલા ફાયદાઓ વિશે, સોલારની કામગીરી વગેરે વિશે વિસ્‍તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે પ્રોજેક્‍ટર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના 99મા એપિસોડને દેખાડવામાં આવ્‍યો હતો. ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલાર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત બાદ દીવ એજ્‍યુકેશન હબ તથા ખૂખરી વિસૂલની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ દીવના કિલ્લા પર તમામ મહેમાનો માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

દીવના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટ દમણ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટરની મદદથી સાત ખલાસીઓનો થયો આબાદ બચાવ

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment