September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલર પ્‍લાન્‍ટ નિહાળી તેનાથી દીવને થતાં ફાયદાની મેળવેલી વિસ્‍તૃત માહિતીઃ ખૂખરી મેમોરિયલ ખાતે આયોજીત સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશદીવ ખાતે ગઈકાલે સાંજે ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીનું આગમન થયું હતું, તેમનું દીવ એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને રાત્રિના ખૂખરી મેમોરિયલ ખાતે સાંસ્‍કળતિક કાર્યક્રમ તથા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આજરોજ તેઓએ ગુજરાતના સોમનાથ ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની મિટિંગમાં હાજરી આપી સાંજે પરત દીવ પહોંચ્‍યા હતા, ત્‍યારબાદ તેઓ દીવના હેરીટેજ વોક વે, ફુદમ સ્‍થિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને સોલર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત કરી જ્‍યાં તેઓએ સોલર પાવર પ્‍લાન્‍ટથી દીવને થઈ રહેલા ફાયદાઓ વિશે, સોલારની કામગીરી વગેરે વિશે વિસ્‍તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે પ્રોજેક્‍ટર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના 99મા એપિસોડને દેખાડવામાં આવ્‍યો હતો. ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલાર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત બાદ દીવ એજ્‍યુકેશન હબ તથા ખૂખરી વિસૂલની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ દીવના કિલ્લા પર તમામ મહેમાનો માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

Leave a Comment