January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્‍ય ધરમપુરના ફંડ અને સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના સૌજન્‍યથી અને રેઈન્‍બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત ‘‘ઉમિયા વાંચન કુટિર”નું ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ અને આંબાતલાટના અગ્રણી મોહનભાઈ પી. પટેલ 23 એપ્રિલના રોજ સવારે 9-00 વાગ્‍યે આંબાતલાટના હનુમાનજી મંદિર ખાતે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર મનિષભાઈ એસ. પટેલ, કસ્‍ટમવિભાગના ચીફ એકાઉન્‍ટ ઓફિસર હિતેશભાઈ આર. પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જય બજરંગબલી યુવક મંડળ અને આંબાતલાટ ગ્રામ પંચાયત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment