June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્‍ય ધરમપુરના ફંડ અને સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના સૌજન્‍યથી અને રેઈન્‍બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત ‘‘ઉમિયા વાંચન કુટિર”નું ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ અને આંબાતલાટના અગ્રણી મોહનભાઈ પી. પટેલ 23 એપ્રિલના રોજ સવારે 9-00 વાગ્‍યે આંબાતલાટના હનુમાનજી મંદિર ખાતે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર મનિષભાઈ એસ. પટેલ, કસ્‍ટમવિભાગના ચીફ એકાઉન્‍ટ ઓફિસર હિતેશભાઈ આર. પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જય બજરંગબલી યુવક મંડળ અને આંબાતલાટ ગ્રામ પંચાયત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો હડતાલ પર ઉતર્યા કોવિડના સમયે જાહેર કરાયેલ ઈન્‍સેટીવ નહી ચુકવતા ડોક્‍ટરોએ બીજી વખત પાડી હડતાલ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

Leave a Comment