Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

શહેરમાં સ્‍લેબ તૂટી પડવાની 24 કલાકમાં બીજી ઘટના : એપાર્ટમેન્‍ટમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ નનકવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ નિધિ એપાર્ટમેન્‍ટનો આજે સાંજના સુમારે અચાનક સ્‍લેબ તૂટી પડતા જોરદાર અફરા તફરી મચી જવા પામી હતી. સ્‍લેબનો કાટમાળ નીચે ઉભેલા ત્રણના ઉપર પડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.ચારે તરફ દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ શહેરની પનોતી બેઠી હોય તેમ છેલ્લા 24 કલાકમાં સ્‍લેબ તૂટી પડવાની આજે બે ઘટનાઓ સર્જાઈ હતી. 120 આવાસનો રાતે સ્‍લેબ તૂટી પડવાની ઘટનાની કળ હજુ વળી નહોતી ત્‍યાં સાંજના નનકવાડા પંચાયત વિસ્‍તારમાં આવેલ નિધી એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટી પડતા નીચે ઉભેલા એક મહિલા સહિત ત્રણ ઉપર કાટમાળ પડતા ઘાયલ થયા હતા. ત્રણેય ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. બીજી તરફ એપાર્ટમેન્‍ટમાં ફસાયેલા અન્‍યોને સલામત બહાર કાઢવાની કામગીરી તાબડતોબ હાથ ધરાઈ હતી.

Related posts

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ ખાતે ઝૂનોટિક રોગો અંગે તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

Leave a Comment