Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવનો મુખ્‍ય વ્‍યવસાય માછીમારી છે, માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી જૂન, જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ આપવામાં આવ્‍યો છે. દીવ ફિશરીઝ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખ્‍ત મનાઈ ફરમાવવામાં આવી છે, જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ ફોટોને ક્રેન દ્વારા જેટી પર ચડાવવાની કાર્યવાહી હાથ ધરી છે, તારીખ 1 જૂન પહેલા તમામ ફિશીંગ બોટોને જેટી પર ચડાવી દેવાશે અને 61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામા આવશે.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળી

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

ગુસ્‍સામાં ઘરેથી નીકળી ગયેલી મુંબઈની ગર્ભવતી મહિલાનું વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યુ

vartmanpravah

Leave a Comment