13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી
નેતાઓએ હોસ્પિટલ ખાનગીકરણનો સખત વિરોધ કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વ્યારાની સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટેનો સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયનો આજે વિશ્વ આદિવાસી અધિકાર દિને ધરમપુર, ચીખલી, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી સખ્ત વિરોધ કર્યા બાદ રેલી સભામાં ફેરવાઈ હતી.
ગત તા.07 સપ્ટેમ્બરના રોજથી સોનગઢથી પુસુભ ગામીત સરકારી દવાખાનાના ખાનગીકરણના વિરોધમાં પદયાત્રાએ સાત દિવસ પહેલા નિકળ્યા હતા. આજે વ્યારા જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી કાર્યકર કલ્પેશ પટેલ, મહારુઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, સરપંચશ્રીઓ નડગધરી ગામ, વાંકલ, રોહિણા, ઘેજ, ચણવઈ, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસી ભાઈ-બહેનો રેલીમાંજોડાયા હતા. જય આદિવાસીના નારા સાથે હોસ્પિટલ ખાનગીકરણનો મામલો આદિવાસી સમાજમાં બારે બીચકાયો છે. જેના પડઘા આજે નિકળેલી રેલી થકી જોવા મળ્યા હતા. આદિવાસી વિસ્તારમાં કોઈને કોઈ બાબતે સતત આંદોલન થતા જ રહે છે.