April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

જાગૃતિબેન કાંકરીયા રાષ્‍ટ્રિય-આંતરરાષ્‍ટ્રિય ચિત્ર એક્‍ઝિબિશનમાં ભાગ લઈ વિજેતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તારમાં નિવાસ કરતા જાણીતા મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાકરીયાએ તાજેતરમાં અયોધ્‍યાની મુલાકાત લીધી હતી. અયોધ્‍યામાં આવેલ તુલસીપીઠના જગતગુરુ રામ ભદ્રાચાર્યને રામ મંદિરનું અદભૂત સ્‍વરચિત પેઈન્‍ટિંગ અર્પણ કર્યું હતું.
અયોધ્‍યામાં આવેલ જાણીતા તુલસીપીઠ આશ્રમ ચિત્રકુટમાં પીઠાધિકારી જગતગુરુ રામ ભદ્રાચાર્ય લેખિત પુસ્‍તક વિમોચન કાર્યક્રમ હતો. આ પુસ્‍તક વિમોચન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દેશના પ્રસિધ્‍ધ 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વાપીના ખ્‍યાતનામ મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાંકરીયાને પણ આમંત્રણ મળ્‍યું હતું તેથી તેઓએ કાર્યક્રમના હિસ્‍સેદાર બન્‍યા હતા. આ પ્રસંગે જાગૃતિબેન સ્‍વરચિત અયોધ્‍યા મંદિરનું સુંદર કલાત્‍મક પેઈન્‍ટિંગ જગતગુરુ રામ ભદ્રાચાર્યને અર્પણ કર્યું હતું. જાગૃતિબેન દેશ-વિદેશમાં યોજાતા ચિત્ર એક્‍ઝિબિશનમાં સતત ભાગ લેતા રહેલા છે તેમજ તેમની કૃતિઓ વિજેતા રહી છે. જાગૃતિબેન છરવાડા રોડ વાપી ગુંજન રાજ રેસિડેન્‍સીમાં નિવાસ કરેછે.

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment