Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

જાગૃતિબેન કાંકરીયા રાષ્‍ટ્રિય-આંતરરાષ્‍ટ્રિય ચિત્ર એક્‍ઝિબિશનમાં ભાગ લઈ વિજેતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તારમાં નિવાસ કરતા જાણીતા મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાકરીયાએ તાજેતરમાં અયોધ્‍યાની મુલાકાત લીધી હતી. અયોધ્‍યામાં આવેલ તુલસીપીઠના જગતગુરુ રામ ભદ્રાચાર્યને રામ મંદિરનું અદભૂત સ્‍વરચિત પેઈન્‍ટિંગ અર્પણ કર્યું હતું.
અયોધ્‍યામાં આવેલ જાણીતા તુલસીપીઠ આશ્રમ ચિત્રકુટમાં પીઠાધિકારી જગતગુરુ રામ ભદ્રાચાર્ય લેખિત પુસ્‍તક વિમોચન કાર્યક્રમ હતો. આ પુસ્‍તક વિમોચન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દેશના પ્રસિધ્‍ધ 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વાપીના ખ્‍યાતનામ મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાંકરીયાને પણ આમંત્રણ મળ્‍યું હતું તેથી તેઓએ કાર્યક્રમના હિસ્‍સેદાર બન્‍યા હતા. આ પ્રસંગે જાગૃતિબેન સ્‍વરચિત અયોધ્‍યા મંદિરનું સુંદર કલાત્‍મક પેઈન્‍ટિંગ જગતગુરુ રામ ભદ્રાચાર્યને અર્પણ કર્યું હતું. જાગૃતિબેન દેશ-વિદેશમાં યોજાતા ચિત્ર એક્‍ઝિબિશનમાં સતત ભાગ લેતા રહેલા છે તેમજ તેમની કૃતિઓ વિજેતા રહી છે. જાગૃતિબેન છરવાડા રોડ વાપી ગુંજન રાજ રેસિડેન્‍સીમાં નિવાસ કરેછે.

Related posts

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

vartmanpravah

Leave a Comment