Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

  • સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે સવારે 10:00 વાગ્‍યે અને સાંજે 4:00 વાગ્‍યે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારી જન સુનાવણી

  • દીવ ખાતે 12મી મેના રોજ યોજાશે જન સુનાવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09 : આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે અને સાંજે 4:00 વાગ્‍યે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં અને તા.12મી મેના રોજ દીવ ખાતે જેઈઆરસી દ્વારા પ્રદેશના વીજ ઉપભોક્‍તાઓના વીજ દરના વધારા-ઘટાડા સંદર્ભમાં પોતાના સૂચનો અને ફરિયાદો સાંભળવા માટે જન સુનાવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોટી સંખ્‍યામાં પ્રદેશના લોકો ઉપસ્‍થિત રહે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગયા વર્ષે ટોરેન્‍ટ પાવરે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશનનો 51 ટકા હિસ્‍સો હસ્‍તગત કર્યા બાદ જેઈઆરસી સમક્ષ 2023-24ના વર્ષ માટે એ.આર.આર. અને ટેરિફનો પ્‍લાન સુપ્રત કરેલ છે. જેના સંદર્ભમાં જેઈઆરસી દ્વારા જન સુનાવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ જન સુનાવણીનું ડોમેસ્‍ટિક, કોમર્શિયલ, ઔદ્યોગિક,કૃષિ સહિત વિવિધ શ્રેણીના પ્રસ્‍તાવિત વીજ દરના સંદર્ભમાં હિતધારકોના સૂચનો અને ફરિયાદો સાંભળવામાં આવશે. આ જન સુનાવણીમાં ફક્‍ત 2023-24ના વર્ષ માટે જ નહીં પરંતુ 2022-23ના વર્ષ માટેના રિવાઈઝ એ.આર.આર. ઉપર પણ સુનાવણી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ 95 ટકા જેટલા ઈન્‍ડસ્‍ટ્રીયલ અને કોમર્શિયલ ગ્રાહકો છે. જ્‍યારે ડોમેસ્‍ટિક અને કૃષિ ક્ષેત્રના ગ્રાહકોની સંખ્‍યા માંડ 4 થી 5 ટકા જેટલી છે. તેથી યુનિટ દર ઉપર કરાતા એક પૈસાનો વધારો પણ પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે વિપરીત અસર કરનારો પણ બની શકવાની સંભાવના રહે છે. આવતી કાલે સેલવાસ અને દમણમાં તથા તા.12મી મેના શુક્રવારના રોજ દીવ ખાતે જેઈઆરસી દ્વારા યોજાનારી જન સુનાવણીમાં મોટી સંખ્‍યામાં હિત ધારકો ઉપસ્‍થિત રહે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

Leave a Comment