Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા (ગુજરાતી માધ્‍યમ) દ્વારા હિન્‍દી દિવસની ખુબ જ ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી હિન્‍દી દિવસ અંતર્ગત સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન હિન્‍દી ભાષામાં કરી વિવિધ કૃતિઓ રજૂ કરી તમામને હિન્‍દી બંધારણીય રીતે ભારતની સત્તાવાર ભાષા છે અને ભારતની સૌથી વધુ બોલાતીઅને સમજાતી રાજભાષા છે જેના વિશે તમામ વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા સાથે જ સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી દ્વારા વિદ્યાર્થીઓને બોધવચનો પાઠવવામાં આવ્‍યા હતા. કાર્યક્રમને લઈને શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધિસ્‍થાપક પરમ પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, સંસ્‍થાના તમામ આચાર્યશ્રી અને સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment