April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: કપરાડા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ભાજપે મેન્‍ડેડમાં નામ જાહેર કર્યા બાદ આજે તાલુકા પંચાયતની મળેલી સમાન્‍ય સભામાં પ્રાંત આધિકારી કેતુલ ઈટાલીયા દ્વારા બિનહરીફ તરીકે રહેલા પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામ ગુરવના નામની જાહેરાત કરતા કપરાડા તાલુકા પંચાયતના તમામ સભ્‍યોએ તેમને આભિનંદન પાઠવ્‍યા હતા. તાલુકા પ્રમુખ રમેશ ગાંવિત અને એપીએમસી ચેરમેન અને મુકેશભાઈ પટેલ સહીતના સભ્‍યોએ નવા વરાયેલા પ્રમુખને પુષ્‍પ હાર પહેરાવીને શુભેચ્‍છા પાઠવી હતી. આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે સુલોચનાબેન જયેશભાઈ કુરકુટીયા, પક્ષના નેતા તરીકે સંદીપ કુમાર લક્ષ્મણભાઈ ચવરા, દંડક તરીકે ભગીરથભાઈપોટીયાભાઈ ગાંવિતના નામોની વરણી કરવામાં આવી છે.
કપરાડા તાલુકા પંચાયત બહાર આજે તમામ સભ્‍યોની હાજરીમાં ફટકડા ફોડી સુત્રોચ્‍ચાર સાથે નવા પ્રમુખને શુભેચ્‍છા આપવા માટે અનેક સભ્‍યો સરપંચો તેમજ અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. તમામે નવા પ્રમુખને અને ઉપ પ્રમુખને શુભેચ્‍છા પાઠવી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા નવા પ્રમુખ હીરાબેને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર વ્‍યક્‍ત કરી પાર્ટીએ જે જવાબદારી આપી તેના ઉપર ખરા ઉતરવા તેમજ કપરાડામાં આધુરા રહેલા તમામ વિકાસના કાર્યોને ગતિ આપવા તેમજ તમામ સભ્‍યોને સાથ સહકાર સાથે આગામી અઢી વર્ષ પૂર્ણ કરવા માટેની વાત કરી હતી.
આજે તાલુકા પંચાયત કપરાડા ખાતે મોટી સંખ્‍યામાં અનેક ગામના અગ્રણીઓ તેમજ સરપંચો તાલુકા પંચાયતના સભ્‍યો સહીત અનેક લોકોએ હાજરી આપી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

Leave a Comment