April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દીવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિવેક કુમારને એક આદેશ જારી કરી ફિરંગીવાડમાં જૂના સરકાર દવાખાનાની સામે પી.ટી.એસ. નં.બર 144/1-1ની સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરી વગર મંજૂરીએ મકાન તાણી બાંધનારા 4 લોકોને નોટિસ આપી છે. જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેમાં (1)પુષ્‍પાબેન રમણિક (2)નાનુબેન પ્રેમજી પરમાર (3)ભારતીબેન રાહુલ રાવલ તથા (4)ગીતાબેન લાલજીના નામ સામેલ છે, જેઓને ન.પા.એ 15 દિવસમાં ગેરકાયદે નિર્માણ સ્‍વૈચ્‍છાએ તોડવા માટે જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દીવ જિલ્લા પ્રશાસને ફિરંગીવાડમાં સરકાર દવાખાનાની સામે પીટીએસ 144/1-1નીજમીન અમરચંદ એમીચંદને કેટલાક વર્ષો પહેલાં લીઝ પર આપવામાં આવી હતી. જેને અમરચંદ એમીચંદના મૃત્‍યુ બાદ તેના વારસદાર જયંતિલાલ અમરચંદે આ જમીનને પ્‍લોટ બનાવીને લોકોને વેચી દીધી. પોર્ટુગીઝ સરકારી રેકોર્ડ જૂનો સર્વે નંબર 1637 મુજબ આ જમીન 1700 મીટર હતી. પરંતુ દીવમાં જમીનના ભાગ બહુકિંમતી થવાના કારણે આ લોકોની નિયત બગડી અને લીઝ પર આપવામાં આવેલ જમીન 1700 મીટરની સાથે સાથે સરકારી જમીન પર અતિક્રમણ કરી તેને 2400 મીટર સુધી કબ્‍જો કરી વેચી દીધી. આ જમીન પર પુષ્‍પાબેન રમણિક, નાનુબેન પ્રેમજી પરમાર, ભારતીબેન રાહુલ રાવલ તથા ગીતાબેન લાલજીએ નગરપાલિકાની મંજૂરી વગર 2 માળનું મકાન પણ બનાવી દીધું.
ઉપરોક્‍ત સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિઓના નામ પર કરવા બાબતે મહેસૂલ વિભાગના તત્‍કાલિન અધિકારીઓની મિલીભગતને લઈ કેટલીય વખત લેખિત ફરિયાદ કરવામાં આવી. પરંતુ પ્રશાસન દ્વારા આ સંબંધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ વખતે દીવ નગરપાલિકા આ બાબતે એક્‍શનમાં આવી છે અને અતિક્રમણ કરનારા પુષ્‍પાબેન રમણીક, નાનુબેન પ્રેમજી પરમાર, ભારતીબેન રાહુલ રાવલ અને ગીતાબેન લાલજીને નોટીસ ફટકારી 15 દિવસમાં ઉક્‍ત સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ સ્‍વૈચ્‍છાએ તોડી પાડવા આદેશ કર્યોછે.

Related posts

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

vartmanpravah

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

Leave a Comment