March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

સ્‍થાનિકો દ્વારા પોલીસને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મજીગામના સરપંચ અને ખેડૂતોએ રાજ્‍યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે, મજીગામના દહેરા ફળીયા વિસ્‍તારમાં ખેતરમાં કુવા, બોર તથા કોતરમાં જતા પાણીનો ઉપયોગ કરવા માટે ઈલેક્‍ટ્રિક મોટર વાપરતા આવેલ છે અને 60-વર્ષ પહેલાની ખેતીવાડીની થ્રિ ફેસ વીજલાઈન પણ છે.
અમારા વિસ્‍તારમાં છેલ્લા બે વર્ષથી મોટર ચોરાઈ રહી છે. ગયા વર્ષે રમણભાઈ છીબાભાઈ પટેલને ત્‍યાંથી થ્રિ ફેસ મોટર ચોરાતા ચીખલી પોલીસ સ્‍ટેશનમાં લેખિત જાણ કરી હતી. ત્‍યારબાદ હાલમાં વિનોદભાઈ બાલુભાઈ હોટેલની ક્રોમ્‍પટનકંપનીની થ્રિ ફેસ મોટર ચોરાઈ ગયેલ છે. જે અંગેની જાણ 25/11/2024 ના રોજ પોલીસ સ્‍ટેશનમાં કરાઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી. કે કોઈ નક્કર પગલા લીધેલ નથી. તેમજ ગયા વર્ષે બે ત્રણ મોટરનો કેબલવાયર તથા પીવીસી પાઇપની ચોરી થયેલ છે. આ ઉપરાંત કોતર પરના ચેકડેમના પતરાનું ઢાંકણ પણ ચોરી થઈ ગયેલ છે.
વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે મજીગામ દહેરા ફળિયાના ઝરી કયારીમાં વારંવાર ચોરી થતી હોવાથી અમોને મોટર અને ખેતીના સાધનો રાખવામાં જોખમ લાગે છે. અને અમે આર્થિક રીતે પાયમાલ થઈ રહેલ છે. જેથી આ અંગે જરૂરી તપાસ કરાવી ચોરી કરનારાઓને પકડી ચોરી થતી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના તમામ વિજેતા ધારાસભ્‍યોનું સન્‍માન સમારોહ તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah

Leave a Comment