October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

બાલદેવી ખાતે 19,900 ચોરસમીટર પ્‍લોટ એરિયામાં નિર્માણ પામેલ 16 બિલ્‍ડીંગોમાં 704 વન બી.એચ.કે.ના ફલેટોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ની સુપ્રત કરાનારી ચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : આવતી કાલે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપક્રમે દાનહના બાલદેવી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અંતર્ગત 704 લાભાર્થીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે. ગૃહ પ્રવેશ વિધિ પહેલાં વાસ્‍તુ પૂજા કરાશે અને પૂજામાં 11 લાભાર્થી દંપતિ વિધિવત્‌ પૂજાપાઠ કરશે.
અત્રે નોંધનીય છે કે, બાલદેવી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના નિર્માણ કાર્ય દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે અનેક વખત કાર્યક્ષેત્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને ગુણવત્તાથી લઈ સુખ-સુવિધાની કોઈ કસર બાકી નહીં રહે તેની અંગત કાળજી પણ લીધી હતી.
બાલદેવીમાં 19,900 ચોરસમીટર પ્‍લોટ એરિયામાં 16 બિલ્‍ડીંગોમાં 704 વન બી.એચ.કે.ના ફલેટોનું નિર્માણ કરાયું છે. પ્રત્‍યેક ફલેટનું ક્ષેત્રફળ 366.4 ચોરસ ફૂટ છે. જેમાં લિવિંગ રૂમ, બેડ રૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ તથા વોશ એરિયાની સુવિધા ઉપલબ્‍ધ છે. પાણીની કમી નહીં પડે એ માટે નળથી જળની સુવિધા માટે 10 લાખ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકીથી ચોવિસ કલાક પાણી ઉપલબ્‍ધ રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લિવિંગ રૂમ, બેડ રૂમમાં પંખા લગાવીને આપવામાં આવી રહ્યા છે. તદ્‌ઉપરાંત પુરા ફલેટમાં એલ.ઈ.ડી. બલ્‍બ પણ લગાવાયા છે. રસોઈ માટે ગેસની સુવિધા માટે પાઈપ લાઈન પણ ફીટ કરવામાં આવી છે. લાભાર્થીઓને વિજળીના બિલમાં રાહત મળે તે હેતુથી દરેક બિલ્‍ડીંગોની છત ઉપર સોલર પ્‍લેટ્‍સ લગાવવામાં આવી છે. આ પરિસરમાં નંદઘર, બાળકો માટે ઉદ્યાન, સિનિયર સીટીઝનો માટે બેઠક વ્‍યવસ્‍થા સાથે જ એક્‍સરસાઈઝ માટે પણ આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્‍યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ પરિસરમાં રહેવાસીઓની સુરક્ષા માટે એક ચેકપોસ્‍ટનું પણ નિર્માણ કરવામાં આવ્‍યુંછે. જેમાં પોલીસબળ તૈનાત રહેશે. ગૃહ પ્રવેશ પહેલાં રવિવારે બપોરે 3:30 વાગ્‍યે વાસ્‍તુ પૂજાનો આરંભ થશે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જોડે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું સાંજે 5:00 વાગ્‍યે કાર્યક્રમ સ્‍થળ બાલદેવી ખાતે આગમન થશે. જ્‍યાં તેઓ આરતીમાં સામેલ થઈ 704 લાભાર્થીઓને વિધિવત્‌ ગૃહ પ્રવેશ કરાવશે. આ લાભાર્થીઓમાં 120 પરિવાર લઘુમતિ સમુદાયના છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પોતાના ઘરનું સપનું સાર્થક કરી રહેલા 704 લાભાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા નહીં પડે તેની સંપૂર્ણ કાળજી પણ લેવામાં આવી છે. જે બદલાયેલા વર્ક કલ્‍ચર અને બદલાયેલા દાદરા નગર હવેલીનું પણ પ્રતિબિંબ પાડે છે.

Related posts

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

Leave a Comment