December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : આવતી કાલે યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચા દ્વારાદાભેલ ખાતે ભગવાન વિશ્વકર્માની પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્‍ટ્રીય ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્‍યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે આવતી કાલે સવારે દાભેલ ખાતે ભગવાન વિશ્વકર્માની પૂજા અને વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું છે. જેમાં પ્રદેશ અને જિલ્લા ઓ.બી.સી. મોર્ચાની ટીમ સંપૂર્ણ સાથ-સહયોગ આપી રહી છે.

Related posts

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

Leave a Comment