December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરે ખાત્રી આપી

હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવ અને ભરૂચ પ્રોજેક્‍ટ ટીમ સાથે વાપી આવી હાઈવેનું સ્‍થળ નિરીક્ષણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ચોમાસાએ સર્જેલી હાઈવેની બેહાલીની વ્‍યાપક ફરિયાદો અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી ઉચ્‍ચ રજૂઆત બાદ સોમવારે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ વાપી આવી પહોંચી હતી. તેમજ હાઈવેનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
નેશનલ હાઈવે ઓથોરિટી સુરત પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવ તેમની ટીમ સાથે સોમવારે વાપી આવ્‍યા હતા ત્‍યારે વાપી વી.આઈ.એ. અને નોટિફાઈડ તથા ઉદ્યોગપતિની ટીમે હાઈવેની બેહાલી માટે ઉચ્‍ચ રજૂઆત કરી હતી. આ નેશનલ હાઈવે સૌથી વધુ વ્‍યસ્‍ત છે તેમજ પાંચ જીઆઈડીસી હાઈવે ઉપર સંકળાયેલી છે તેમજ હાઈવે આસપાસ રહેઠાણ વિસ્‍તાર હોવાથી કનેક્‍ટિવિટી હાઈવે સાથે જોડાયેલી છે. હાઈવે પર ખાડાઓ અકસ્‍માત સર્જી રહ્યા છે. ઉદ્યોગકારોની રજૂઆત બાદ બલીઠાનો સર્વિસ રોડ પણ પહોળો કરવાની માંગ કરાઈ હતી. હાઈવેની ટીમે ટુકવાડા નિર્માણાધિન અન્‍ડર બ્રિજ પ્રોજેક્‍ટની ઊંચાઈ વધારી પહોળો કરવાની માંગણી કરાઈ હતી. હાઈવેની ટીમે સ્‍થળ નિરીક્ષણ પણ કર્યું હતું. સુરત અને ભરૂચની પ્રોજેક્‍ટ ટીમ પણ સાથે હતી. પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવેરજૂઆતો ધ્‍યાને લઈને કામ પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી તેમજ હાઈવે ઉપરના ખાડા 48 કલાકમાં પુરાઈ જશે તેવુ જણાવ્‍યું હતું. વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment