Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ જ્ઞાન સહાયક યોજનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં 11 માસની શિક્ષકો માટે ભરતી કરારની જોગવાઈ છે. તેનો ભાવિ શિક્ષકો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. આજે વલસાડમાં વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનોની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી સાથે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
સરકાર દ્વારા 11 માસની કરાર આધારિત જ્ઞાન સહાયકોની યોજના રજૂ કરેલ છે. જેમાં શિક્ષકો જોડાઈ શકે છે. પરંતુ ટેટ-ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્‍યાય થઈ રહ્યો છે. તેવા શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓની ભરતી કરવાની ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. આજે વલસાડમાં આ મુદ્દે વિશાળ રેલી યોજાઈ હતી અને માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરો. ટેટ-ટાટ પરીક્ષા આપેલ ઉમેદવારોને કાયમી કરવાની માંગણી કરવામાં આવી હતી. ભાવિ શિક્ષકોના સમર્થનમાં મહારૂઢી ગ્રામ સભાના અધ્‍યક્ષ રમેશભાઈ બોપી ગામના માજી સરપંચ નિકુંજભાઈ, ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય શૈલેષ પટેલ જેવા આગેવાનોની રાહબરીમાં રેલી યોજાઈ હતી તેમજ તા.30 સપ્‍ટેમ્‍બરે આ મામલે વલસાડમાં ફરી ભેગા થવાનું નક્કી કરવામાં આવેલ છે.

Related posts

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment