March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ જ્ઞાન સહાયક યોજનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં 11 માસની શિક્ષકો માટે ભરતી કરારની જોગવાઈ છે. તેનો ભાવિ શિક્ષકો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. આજે વલસાડમાં વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનોની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી સાથે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
સરકાર દ્વારા 11 માસની કરાર આધારિત જ્ઞાન સહાયકોની યોજના રજૂ કરેલ છે. જેમાં શિક્ષકો જોડાઈ શકે છે. પરંતુ ટેટ-ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્‍યાય થઈ રહ્યો છે. તેવા શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓની ભરતી કરવાની ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. આજે વલસાડમાં આ મુદ્દે વિશાળ રેલી યોજાઈ હતી અને માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરો. ટેટ-ટાટ પરીક્ષા આપેલ ઉમેદવારોને કાયમી કરવાની માંગણી કરવામાં આવી હતી. ભાવિ શિક્ષકોના સમર્થનમાં મહારૂઢી ગ્રામ સભાના અધ્‍યક્ષ રમેશભાઈ બોપી ગામના માજી સરપંચ નિકુંજભાઈ, ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય શૈલેષ પટેલ જેવા આગેવાનોની રાહબરીમાં રેલી યોજાઈ હતી તેમજ તા.30 સપ્‍ટેમ્‍બરે આ મામલે વલસાડમાં ફરી ભેગા થવાનું નક્કી કરવામાં આવેલ છે.

Related posts

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment