August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

માજી સરપંચ અને પૂર્વ અને જિ.પં. સભ્‍ય કાંતિભાઈ પટેલે માહિતી નહી મળતા કલેક્‍ટરમાં લેખિત રાવ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: છરવાડા ગ્રામ પંચાયત સન-2012 થી 2017 સુધી થયેલ વિકાસ કામ, લોકફાળાની ઉઘરાણી, ઘરવેરા વસુલાત, 14મા નાણાપંચના કામો અને રોજમેળમાં કથિત ખોટા બીલ અંગે વ્‍યાપક ભ્રષ્‍ટાચાર જણાઈ આવતા પંચાયતના પૂર્વ સરપંચ અને જિ.પં. સભ્‍યએ જુદા જુદા સમયે માહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરેલ છે તેમ છતાં માહિતી નહી અપાતા અંતે તેઓએ કલેક્‍ટર ડી.ડી.ઓ.માં લેખિત રાવ કરી છે.
છરવાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને માજી જી.પં. સભ્‍ય કાન્‍તીભાઈ નીછાભાઈ પટેલએ કલેક્‍ટર અને ડી.ડી.ઓ.માં કરેલ લેખિત રાવ મુજબ તેમણે સન-2012 થી 2017 સુધી થયેલ પંચાયત વહીવટ અંગે માહિતી હેતુ 7 વાર માહિતી અધિકાર 2005 મુજબ અરજી કરી માહિતી માંગી છે. તેમણે તા.17-7-21, તા.25-8-21, તા.24-11-21, તા.18-6-22, તા.26-7-22, તા.15-3-22 અને તા.10-8-23 એમ સાત વાર પંચાયતના વહિવટ અને કથિત ભ્રષ્‍ટાચાર વિશે માહિતી માંગી છે. તેઓએ માંગણી કરી છે કે, વિકાસ કામો, લોક ફાળાની ઉઘરાણી, ઘરવેરાની વસુલાત, 14મા નાણાપંચના કામો અને રોજમેળના બિલોની વિગતોમાહિતી માંગી છે. તે મળેલ નથી. કલેક્‍ટરમાં કરેલ લેખિત રાવ મુજબ 2016-17 ઓડીટમાં અહેવાલ ફકરા નં.5માં 506, 775ની ઉચાપતની નોંધ છે તેમજ તા.25-7-2017ના રોજ પંચાયત ઘરમાં આગ લગાડી રેકર્ડ નષ્‍ટ કરવાનો પ્રયાસ થયો છે તેવી ચોંકાવનારી બાબતો અંગે પંચાયત તલાટી કમ મંત્રી માહિતી આપતા નથી. તેથી કલેક્‍ટરને લેખિત રાવ માજી સરપંચ કાંતિભાઈ પટેલએ કરી છે.

Related posts

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

Leave a Comment