Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

દમણ સી.એચ.સી.ના ડો. ગીતાંજલીએ વિદ્યાર્થીઓને ‘‘અંગદાન”ના વિષયમાં આપેલી વિસ્‍તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરથી પ્રારંભ થયેલ ‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પૂર્વ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલની ઉસ્‍થિતિમાં આજે દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન” સંબંધિત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ખાસ ઉપસ્‍થિત રહેલા સી.એચ.સી.ના ડૉક્‍ટર ગીતાંજલીએ વિદ્યાર્થીઓને અંગદાનના વિષયમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે અંગદાનની નોંધણી માટે એક લિંક અને અન્‍ય સાહિત્‍ય આપીને વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપી હતી.
આ પ્રસંગેપ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલ પટેલ, દમણ એન્‍જિનિયરીંગ કોલેજના મિકેનિકલ વિભાગના એચ.ઓ.ડી. શ્રી પુષ્‍પરાજ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસરો તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

Leave a Comment