દમણ સી.એચ.સી.ના ડો. ગીતાંજલીએ વિદ્યાર્થીઓને ‘‘અંગદાન”ના વિષયમાં આપેલી વિસ્તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના અવસરથી પ્રારંભ થયેલ ‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, પૂર્વ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલની ઉસ્થિતિમાં આજે દમણની એન્જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન” સંબંધિત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા સી.એચ.સી.ના ડૉક્ટર ગીતાંજલીએ વિદ્યાર્થીઓને અંગદાનના વિષયમાં વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે અંગદાનની નોંધણી માટે એક લિંક અને અન્ય સાહિત્ય આપીને વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપી હતી.
આ પ્રસંગેપ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલ પટેલ, દમણ એન્જિનિયરીંગ કોલેજના મિકેનિકલ વિભાગના એચ.ઓ.ડી. શ્રી પુષ્પરાજ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસરો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.