June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

દમણ સી.એચ.સી.ના ડો. ગીતાંજલીએ વિદ્યાર્થીઓને ‘‘અંગદાન”ના વિષયમાં આપેલી વિસ્‍તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરથી પ્રારંભ થયેલ ‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પૂર્વ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલની ઉસ્‍થિતિમાં આજે દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન” સંબંધિત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ખાસ ઉપસ્‍થિત રહેલા સી.એચ.સી.ના ડૉક્‍ટર ગીતાંજલીએ વિદ્યાર્થીઓને અંગદાનના વિષયમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે અંગદાનની નોંધણી માટે એક લિંક અને અન્‍ય સાહિત્‍ય આપીને વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપી હતી.
આ પ્રસંગેપ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલ પટેલ, દમણ એન્‍જિનિયરીંગ કોલેજના મિકેનિકલ વિભાગના એચ.ઓ.ડી. શ્રી પુષ્‍પરાજ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસરો તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

Leave a Comment