Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના જિલ્લા મુખ્‍યાલય સેલવાસમાં સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં વિવિધ જાહેર કાર્યક્રમો, સાર્વજનિક સભા, ધરણાં, રેલી, લાઉડસ્‍પીકરનો ઉપયોગ, નારાબાજી, ઘોંઘાટ વગેરે કરવા માટે દાદરા નગર હવેલી જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા 144 કલમ લગાવવાનો આદેશ જારી કર્યો છે.
જિલ્લા મેજીસ્‍ટ્રેટના આદેશમાં જણાવ્‍યા મુજબ જાહેર કાર્યક્રમો, સાર્વજનિક સભા, ધરણાં, રેલી, લાઉડસ્‍પીકરનો ઉપયોગ, નારાબાજી, ઘોંઘાટ વગેર સામાન્‍ય જનતા માટે અસુવિધાનું કારણ બને છે અને વાહનોના આવાગમનને સુચારુ રીતે પ્રભાવિત કરે છે તેમજ સચિવાલય કલેક્‍ટોરેટ જે સંવેદનશીલ કાર્યાલયોનાકામકાજમાં અડચણ ઉભી થાય છે. ઉપરાંત કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિમાં પણ વિઘ્‍ન નાખે છે, જેના માટે દંડ પ્રક્રિયા સંહિતા 1973(1974ના નંબર-2)ની કલમ 144 મુજબ દાનહ જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા આદેશ જારી કરાયો છે જેમાં સાર્વજનિક સભા, ધરણાં કે કોઈ જાહેર કાર્યક્રમ કરી લોકોને એકત્રિત કરવા, કોઈપણ સંઘ, સંગઠન, રાજકીય પક્ષો દ્વારા સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરથી તેના 100મીટરના વિસ્‍તારમાં ગેર કાનૂની પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ આદેશ 03 ઓક્‍ટોબરથી તાત્‍કાલિક પ્રભાવથી લાગુ કરવામાં પડે છે અને 02ડિસેમ્‍બર સુધી 60 દિવસ સુધી પ્રભાવિત રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ દંડનીય કાર્યવાહી કરાશે.

Related posts

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

Leave a Comment